વડોદરા:  વડોદરાની MS યુનિવર્સિટીના વીસી પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે.  યુનિવર્સિટી દ્વારા અપાયેલા સરકારી બંગલામાં 46 લાખ રૂપિયાનું રીનોવેશન કરાવતા વિવાદ વકર્યો છે.  સેનેટ મેમ્બરે વીસીનું રાજીનામું માગ્યું છે. 


વડોદરાની એમ.એસ યુનિવર્સિટીના વીસી પ્રો. વિજયકુમાર  શ્રીવાત્સવ અનેકવાર વિવાદમાં આવ્યા છે.  આ વખતે તેમણે સરકાર દ્વારા ફળવાયેલા કમાટીબાગ પાસે ના " ધન્વંતરિ " સરકારી બંગલામાં 46 લાખનો ખર્ચ કરી રીનોવેશન કરાવ્યુ તેને લઈ વિવાદ થયો છે.  કોન્ટ્રાક્ટરોના રીનોવેશનના 46 લાખના બિલ યુનિવર્સિટીમાં મુકવામાં આવ્યા જે યુનિવર્સિટીના ઓડિટર વિભાગ દ્વારા નકારવામાં આવતા મામલો બહાર આવ્યો હતો. 


બંગલાના રીનોવેશનમાં 5 બાથરૂમ, કારપેન્ટરી વર્ક, વોશરૂમ, ગાર્ડન, કલર કામ અને સિવિલ વર્કમાં ખર્ચ કરાયો છે.  જોકે અત્યાર સુધીમાં યુનિવર્સિટીમાં આવેલા જુદા જુદા 17 વીસી પણ એજ બંગલામાં રહ્યા પણ રીનોવેશનના નામે કોઈ જંગી ખર્ચ નથી કર્યો.  1 વર્ષ પહેલાં આવેલ વી.સી પ્રો વિજયકુમાર શ્રીવાત્સવના વૈભવશાળી જીવનમાં તેમણે યુનિવર્સિટીના નાણાં વાપર્યા હોવાના સેનેટ  સિન્ડિકેટ સભ્ય હસમુખ વાઘેલાએ આક્ષેપ કર્યા હતા.  સવાલ કર્યો હતો કે બંગલાનાના કામના રીનોવેશનના ખર્ચ યુનિવર્સિટી કેમ ભોગવે ? વિદ્યાર્થીઓના ફીના પૈસે કેમ તાગડધિન્ના ? આવા સવાલ સાથે સેનેટ - સિન્ડિકેટ સભ્ય હસમુખ વાઘેલા દ્વારા 9 તારીખ ની સિન્ડિકેટ મિટિંગ માં મુદ્દો ઉઠાવી વિરોધ કરવામાં આવશે અને વીસીના રાજીનામાંની પણ માંગ કરવામાં આવશે. 


Gujarat Corona Case: ગુજરાતમાં અચાનક કોરોનાના કેસમાં આવ્યો ઉછાળો, અમદાવાદમાં નોંધાયા 13 કેસ



રાજ્યમાં એક તરફ અનેક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો છે તો બીજી તરફ કોરોનાના કેસમાં અચાનક વધારો થતા ફફડાટ ફેલાયો છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે. આજે 4 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 13 કેસ, રાજકોટમાં 2 કેસ,  ભાવનગર, રાજકોટ શહેર, સુરત અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે. આમ અચાનક કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે.


હોળી પહેલા જ કોરોનાના નામની હોળી? કેસમાં 3 ઘણો વધારો થતા ટેંશન
કોરોના વાયરસે ફરી એકવાર ચિંતા વધારી છે. હોળીનો તહેવાર 8 ફેબ્રુઆરીએ દેશભરમાં ઉજવવામાં આવનાર છે. આ પહેલા જ ફરી એકવાર દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા એક સપ્તાહમાં ત્રણ ગણા વધુ કેસ નોંધાયા છે.


છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં 324 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 22 ફેબ્રુઆરીએ 95 કેસ નોંધાયા હતા. ત્યારબાદ કેસ સતત વધી રહ્યા છે. જ્યારે ગત શુક્રવારે દૈનિક નોંધાયેલ આંકડો 300 હતો, જે આજે 324 પર પહોંચી ગયો છે. આ નોંધાયેલા નવા કેસ બાદ દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 2 હજાર 791 થઈ ગઈ છે.