‘હેપેટાઈટિસ સી’ વાયરસની શોધ માટે કોને કોને મળ્યો નોબેલ પુરસ્કાર ? જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Oct 2020 03:52 PM (IST)
નોબેલ પુરસ્કાર સમિતિએ ટ્વિટર પર લખ્યું, હેપેટાઈટિસ વિશ્વભરમાં અનેક લોકોમાં સિરોસિસ તથા યકૃત કેંસરનું કારણ બને છે. તેની સામે લડાઈમાં આ ત્રણેયે નિર્ણાયક યોગદાન આપ્યું છે.
નવી દિલ્હીઃ વર્ષ 2020માં મેડિસિનમાં નોબેલ પુરસ્કાર હાર્વે જે અલ્ટર, માઈકલ હ્યૂટન અને ચાર્લ્સ એમ રાઇસને ‘હેપેટાઇટિસ સી’ની શોધ માટે આપવામાં આવ્યો છે. નોબેલ પુરસ્કાર સમિતિએ ટ્વિટર પર લખ્યું, હેપેટાઈટિસ વિશ્વભરમાં અનેક લોકોમાં સિરોસિસ તથા યકૃત કેંસરનું કારણ બને છે. તેની સામે લડાઈમાં આ ત્રણેયે નિર્ણાયક યોગદાન આપ્યું છે. આ એવોર્ડ નોબેલ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. જે સ્વીડનના વૈજ્ઞાનિક અલ્ફ્રેડ બનાર્ડ નોબેલની યાદમાં આપવામાં આવે છે. અલ્ફ્રેડ બનાર્ડ નોબેલે તેમના મૃત્યુ પહેલા સંપત્તિનો મોટો હિસ્સો આ ટ્રસ્ટને આપ્યો હતો. તેમની ઈચ્છા આ રૂપિયાથી જે લોકો માનવ જાતિ માટે શ્રેષ્ઠ કામ કરે છે તેમને સન્માનવામાં આવે તેવી હતી. અલ્ફ્રેડ બનાર્ડ નોબેલની રકમ સ્વીડિશ બેંકમાં જમા છે અને તેના વ્યાજમાંથી દર વર્ષે નોબેલ ફાઉન્ડેશન નોબેલ પ્રાઇઝ આપે છે. પ્રથમ નોબેલ શાંતિ પુરસ્કાર 1901માં આપવામાં આવ્યો હતો. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું 5 વખત નામાંકન થું હતું પરંતુ તેમને શાંતિનો નોબલ પુરસ્કાર ક્યારેય મળ્યો નહોતો. જે ભારતીયોને નોબલ પુરસ્કાર મળ્યા છે તેમના નામ નીચે મુજબ છે. - રવિન્દ્રનાથ ટાગોર - હરગોવિંદ ખુરાના - સીવી રમન - વીએએસ નાયયોલ - વેંકટ રામાકૃષ્ણન - મધર ટેરેસા - સુબ્રમણ્યમ ચંદ્રશેખર - કૈલાશ સત્યાર્થી - આર કે પચૌરી - અમર્ત્ય સેન Coronavirus: સંક્રમણનો નવો મામલો સામે આવ્યા બાદ આ દેશે બે મોટા શહેરોમાં લગાવ્યો અનિશ્ચિતકાળનો કર્ફ્યુ, જાણો વિગતે કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ