ઢાકા: બાંગ્લાદેશની રાજધાની ઢાકાની એક મસ્જિદમાં એક સાથે છ એરકંડિશનમાં વિસ્ફોટ થતાં 1 બાળક સહિત 17 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ઘટનામાં 20 અન્ય લોકો ઘાયલ પણ થયા. નારાજયણગંજ મધ્ય જિલ્લામાં શુક્રવારની રાત્રે અંદાજે 9 વાગ્યે લોકો નમાજ અદા કરી રહ્યા હતા ત્યારે આ વિસ્ફોટ થયો હતો.


આ ઘટનાને લઈને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસિનાએ દુર્ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે અને સંભવ ચિકિત્સા દેખભાળ સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે. પોલીસ અધિક્ષકે કહ્યું કે, જો તપાસમાં કોઈ બેદરકારી માલુમ પડી તો કાર્યવાહી કરાશે.