ઓબામાએ ભારતીય ઉદ્યોગપતિઓને કર્યા ટાર્ગેટ, ભારતમાં લાખો લોકો ઘર વિનાના અને તે લોકો ઠાઠમાઠથી જીવી રહ્યાં છે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Nov 2020 02:42 PM (IST)
અમેરિકાના 44માં રાષ્ટ્રપતિ ઓબામાએ તાજેતરમાંજ પોતાના પુસ્તક એ પ્રૉમિસ્ડ લેન્ડમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સાથે પોતાની મુલાકાત અને અનૌપચારિક વાતચીતનો ઉલ્લેખ કરતાં ભારતીય ઉદ્યોગપતિ પર સવાલો ઉઠાવ્યા હતા
ફાઇલ તસવીર
વૉશિંગટનઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાના પુસ્તકમાં ભારતીય ઉદ્યોગપતિઓ પર નિશાન તાક્યુ છે. ઓબામાએ કહ્યું કે, તેમને ઠાઠમાઠમાં રાજાઓ અને મુગલોને પણ પાછળ પાડી દીધા છે, જ્યારે લાખો લોક બેઘર છે. અમેરિકાના 44માં રાષ્ટ્રપતિ ઓબામાએ તાજેતરમાંજ પોતાના પુસ્તક એ પ્રૉમિસ્ડ લેન્ડમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સાથે પોતાની મુલાકાત અને અનૌપચારિક વાતચીતનો ઉલ્લેખ કરતાં ભારતીય ઉદ્યોગપતિ પર સવાલો ઉઠાવ્યા હતા. પુસ્તકમાં લખ્યું છે કે સહયોગીઓ વિના થયેલી વાતચીત દરમિયાન સિંહે તેમને કહ્યું- અનિશ્ચિતતા ભરેલા સમયમાં, રાષ્ટ્રપતિ મહોદય, ધાર્મિક અને જાતીય એકજૂથતાનુ આહવાન ફોસલાવવાનુ હોઇ શકે છે, અને ભારતમાં કે પછી ક્યાંય પણ રાજનેતાઓ માટે આનુ દોહન કરવુ ખુબ જ કઠીન છે. ઓબામાએ લખ્યું- મે માંથુ હલાવતા કહ્યું, પ્રાગ યાત્રા દરમિયાન યુરોપિમાં અસમાનતાના વધતા પ્રકોપ વિશે મે તેમની ચેતાવણી યાદ કરી. જો વૈશ્વીકરણ અને ઐતિહાસિક આર્થિક સંકટ અપેક્ષાકૃત સંપન્ન દેશોમાં આ વલણોને વધારી રહ્યાં છે, અને જો અમેરિકામાં પણ આને ટી પાર્ટીમાં જોઇ શકુ છુ તો ભારત આનાથી કઇ રીતે બચી શકાય છે. ઓબામાનુ પુસ્તક બે ભાગમાં છે, પહેલો ભાગ મંગળવારે દુનિયાભરમાં લૉન્ચ થઇ ચૂક્યુ છે.