ઇરાન સરકારે કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે આર્મીને આદેશ આપ્યો છે કે તે આગામી 24 કલાકમાં દેશભરના તમામ રસ્તાઓ ખાલી કરાવે. સૈન્ય પ્રમુખ મેજર જનરલ મોહમ્મદ બગેરીએ ટીવી પર પ્રસારિત એક નિવેદનમાં કહ્યું કે, નવગઠિત આયોગે દુકાનો, રસ્તાઓ ખાલી કરાવવાની જવાબદારી સોંપી છે. આ નિર્ણયને 24 કલાકમાં દેશમાં લાગુ કરવાનો છે.
બીજી તરફ ઇરાનના વિદેશમંત્રી મોહમ્મદ જવાદ જરીફે અમેરિકામાં ટ્રમ્પ સરકારને દેશ પર લાગેલા પ્રતિબંધો તત્કાળ હટાવવાની અપીલ કરી છે અને કહ્યું છે કે પ્રતિબંધોના કારણે તેમના માટે દવાઓ અને મેડિકલ ઉપકરણોની આયાત કરવું મુશ્કેલ થઇ રહ્યું છે.