China Corona:ચીનમાં કોરોના વાયરસે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આલમ એ છે કે અહીંની વસ્તીનો મોટો હિસ્સો સંક્રમિત થયો છે. આ દરમિયાન ચીનના એક જાણીતા વૈજ્ઞાનિકે મોટો ખુલાસો કર્યો છે. ચાઇના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ચીફ એપિડેમિયોલોજિસ્ટ વુ જુનયૂનું કહેવું છે કે, આગામી બેથી ત્રણ મહિનામાં ચીનમાં કોરોના સંક્રમણમાં બીજી વખત વધારો થવાની શક્યતા ઓછી છે, કારણ કે 80 ટકા લોકો સંક્રમિત થયા છે.


ચાઇનામાં 21 જાન્યુઆરીએ શરૂ થયેલી  લ્યૂનર  નવા વર્ષની રજાઓ દરમિયાન મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરશે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ચેપ વધી શકે છે, જો કે વૈજ્ઞાનિકોનો અનુમાન છે કે, હવે વધુ એક નવી લહેરની શક્યતા નહિવત  છે.


ગ્રામીણ વિસ્તારોની હાલત ખરાબ થઈ શકે છે


વૈજ્ઞાનિક વુ જુનયૂએ જણાવ્યું કે, ચં લ્રયૂનુર  ચીનના શહેરોના લોકો તેમના સંબંધીઓની મુલાકાત લેવા ગ્રામીણ વિસ્તારોમાં જાય છે. આવી સ્થિતિમાં, ગ્રામીણ વિસ્તારોમાં ચેપનો દર વધુ હોઈ શકે છે,  કારણ અહીં  કે કોરોનાને રોકવા માટે ખૂબ જ ઓછી વ્યવસ્થા છે. બીજી તરફ, અન્ય એક અધિકારીએ કહ્યું છે કે ચીનમાં ગંભીર કોરોના દર્દીઓની સંખ્યા ઉચ્ચતમ સ્તર પાર કરી ચૂકી છે.


60 હજાર લોકોના મોત થયા છે


ચીનના સત્તાવાર આંકડા મુજબ 12 જાન્યુઆરી સુધી અહીં 60 હજારથી વધુ લોકોના મોત થયા છે. તાજેતરમાં જ ચીને આ ડેટા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સાથે શેર કર્યો છે. ચીને ઝીરો કોવિડ નીતિ પાછી ખેંચી લેવાનું કારણ કોરોનાથી મૃત્યુની સંખ્યામાં ઉછાળાનું કારણ ગણાવ્યું હતું.


Jammu Kashmir Blast: નરવાલ બ્લાસ્ટમાં આતંકવાદીઓએ ટાઈમર આઈડીનો કર્યો ઉપયોગ, આજે પણ વિસ્તાર સીલ, સેનિટાઈઝેશન ઓપરેશન યથાવત


Narwal Twin Blast Update:જમ્મુ શહેરની બહારના નરવાલમાં શનિવારે બે વિસ્ફોટ થયા હતા.  જેમાં 9 લોકો ઘાયલ થયા હતા. તપાસમાં સામેલ એજન્સીઓનો દાવો છે કે નરવાલમાં થયેલા બે બોમ્બ વિસ્ફોટોમાં આતંકવાદીઓએ ટાઈમર આઈડીનો ઉપયોગ કર્યો હોઈ શકે છે. સુરક્ષાની દૃષ્ટિએ આજે ​​(રવિવારે) પણ ટ્રાન્સપોર્ટ ટાઉન નરવાલને સીલ કરી દેવામાં આવ્યું છે. સમગ્ર નરવાલ વિસ્તારમાં સેનિટાઈઝેશનની કામગીરી ચાલી રહી છે અને હિલચાલ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે


એક અધિકારીએ બોમ્બ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોની ઓળખ સુહેલ ઈકબાલ, વિશ્વ પ્રતાપ, વિનોદ કુમાર, અર્જુન કુમાર, અમિત કુમાર, રાજેશ કુમાર અને અનીશ અને ડોડાના સુશીલ કુમાર તરીકે કરી છે. જે તમામ જમ્મુના રહેવાસી છે. અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે પ્રથમ વિસ્ફોટ પછી તરત જ પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો.  જેના 15 મિનિટ પછી બીજો વિસ્ફોટ થયો હતો.


જમ્મુ 15 મિનિટમાં બે વિસ્ફોટોથી હચમચી ગયું 


મોટર સ્પેર પાર્ટ્સ એસોસિએશનના પ્રમુખ સિંઘના જણાવ્યા અનુસાર 15 મિનિટ પછી નજીકમાં બીજો વિસ્ફોટ થયો હતો. જેના લીધે આ વિસ્તારમાં મોટર વાહનનો કાટમાળ ફેલાઈ ગયો. સ્થાનિક રહેવાસી રાજકુમારે જણાવ્યું કે જ્યારે વિસ્ફોટ થયો ત્યારે તે બીજા વાહનનું કામ કરી રહ્યો હતો. તેમણે કહ્યું, "અમને શરૂઆતમાં લાગ્યું કે કોઈ વાહનની પેટ્રોલ ટાંકીમાં વિસ્ફોટ થયો છે.  પરંતુ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે વાહનનું કચરઘાણ નીકળી ગયું હતું.