ભારતે ડોમેનિકન ગણરાજ્યને કોરોના વેક્સિન મોકલાવી છે. વેક્સિન મળતા ડોમિનિકન ગણરાજ્યના વડાપ્રધાન રૂજવેલ્ટ સ્કિરિટે પીએમ મોદીનો આભાર માન્યો હતો અને ભારતની પ્રશંસા કરી છે. ભારત તરફથી આ દ્વીપીય દેશમાં વેક્સિનની 35000 ડોઝ પહોંચી છે. જેના કારણે 72 હજાર આબાદી ધરાવતા આ દ્વીપના અડધા લોકોની જીવન રક્ષા થઇ શકશે.
ડોમિનિકનના વડાપ્રધાન રૂજવેલ્ટે જણાવ્યું હતું કે, મને આટલી જલ્દી વેક્સિન મળશે તેવી આશા ન હતી. મેં 19 જાન્યુઆરીએ વેક્સિન માટે ભારતને અપીલ કરી હતી. મંગળવારે ડોમિનિકાના ડગલસ એરપોર્ટ પર ભારતથી વેક્સિન ભરેલ પ્લેન પહોંચ્યું હતું. વેક્સિનને રીસીવ કરવા ખુદ પીએમ રૂજવેલ્ટ પહોંચ્યા હતા આટલુ જ નહીં તેમણે વેક્સિન ઉતારવામાં પણ મદદ કરી હતી. ભારતમાં બનેલી ઓક્સફોર્ડ AstraZenecaની વેક્સિનને કેરેબિયાઇ દેશોમાં પહોંચાડવામાં આવી છે.