Nepal Earthquake News Live Updates: નેપાળમાં મૃત્યુઆંક 132 પહોંચ્યો, હજારો ઘાયલ, સંખ્યાબંધ ઇમારત જમીનદોસ્ત, જાણો વધુ અપડેટ્સ

Earthquake in Nepal live:નેપાળમાં 6.4ની તીવ્રતાના ભૂકંપથી ઘણું નુકસાન થયું છે. એક હજારથી વધુ લોકો ઘાયલ થયા છે અને રાહત કાર્ય ચાલી રહ્યું છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 04 Nov 2023 11:58 AM
Nepal Earthquake Live: નેપાળમાં મૃત્યુઆંક વધ્યો, મૃતકોની સંખ્યા વધીને 132 થઈ

  નેપાળ પોલીસે કહ્યું છે કે નેપાળમાં ભૂકંપના કારણે મૃત્યુઆંક વધીને 132 થઈ ગયો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

Nepal Earthquake Live: ભારતમાં નેપાળને અડીને આવેલા આ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા

નેપાળમાં આવેલા ભૂકંપની અસર નેપાળને અડીને આવેલા ભારતના બિહારમાં પણ પડી છે. અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે પાડોશી દેશ નેપાળમાં 6.4ની તીવ્રતાના ભૂકંપના કારણે બિહારના ઘણા જિલ્લાઓમાં તીવ્ર આંચકા અનુભવાયા હતા. જો કે રાજ્યમાં જાનમાલને કોઈ નુકસાન થયું નથી. બિહાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા અનુસાર, પટના, કટિહાર, પૂર્વ ચંપારણ, દરભંગા, મુઝફ્ફરપુર, પશ્ચિમ ચંપારણ, સાસારામ, નવાદા અને ભારત-નેપાળ સરહદે આવેલા અન્ય ઘણા જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Nepal Earthquake Live: રૂકુમ પશ્ચિમ અને જાજરકોટ ભૂકંપ પ્રભાવિત જિલ્લા

નેપાળના જાજરકોટ જિલ્લામાં ભૂકંપથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ જાજરકોટ અને રુકુમ પશ્ચિમ છે. વડાપ્રધાનના ખાનગી સચિવાલયના જણાવ્યા અનુસાર જાજરકોટ ભૂકંપમાં 91 લોકોના મોત થયા છે અને 55 લોકો ઘાયલ થયા છે. જ્યારે રુકુમ પશ્ચિમમાં 36 લોકોના મોત થયા છે અને 85 લોકો ઘાયલ થયા છે.

Nepal Earthquake Live: તમામ હેલી-ઓપરેટરોને તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે

નેપાળમાં તમામ હેલી-ઓપરેટરોને સ્ટેન્ડબાય પર રહેવા માટે કહેવામાં આવ્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ઘાયલોની એરલિફ્ટની સુવિધા માટે નિયમિત ફ્લાઇટની હિલચાલ સ્થગિત કરવામાં આવી છે. નેપાળગંજ એરપોર્ટ અને મિલિટરી બેરેક હેલિપેડ પર એક એમ્બ્યુલન્સ તૈનાત કરવાની સૂચના આપવામાં આવી છે.

Nepal Earthquake Live: સરકારે ભૂકંપ પ્રભાવિત લોકો માટે આર્મી હોસ્પિટલોના દરવાજા ખોલ્યા

નેપાળના જાજરકોટમાં આવેલા ભૂકંપની તસવીરો સામે આવી છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ અકસ્માતમાં કુલ 128 લોકોના મોત થયા છે અને એક હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. નેપાળમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોની સુરક્ષા માટે સરકારે નેપાળની ભેરી હોસ્પિટલ, કોહલપુર મેડિકલ કોલેજ, નેપાળગંજ મિલિટરી હોસ્પિટલ અને પોલીસ હોસ્પિટલને ભૂકંપ અસરગ્રસ્તો માટે ખોલી છે.

Nepal Earthquake Live: ભૂકંપના કારણે નલગઢ નગરપાલિકાના ડેપ્યુટી મેયર સરિતા સિંહનું નિધન

નેપાળના જાજરકોટ ભૂકંપમાં નલગઢ નગરપાલિકાના ડેપ્યુટી મેયર સરિતા સિંહ સહિત 128થી વધુ લોકોના મોત થયા છે. નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર ભૂકંપના કારણે જૂના મકાનોને નુકસાન થયું છે.


 નેપાળમાં શુક્રવારે રાત્રે 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય ભૂકંપ માપન કેન્દ્રના વડા લોકવિજય અધિકારીએ જણાવ્યું હતું કે ભૂકંપ રાત્રે 11:47 વાગ્યે આવ્યો હતો, જેનું કેન્દ્ર પશ્ચિમ નેપાળમાં જાજરકોટ હતું.

Nepal Earthquake Live: નેપાળમાં ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 128 થયો છે

નેપાળમાં ભૂકંપના કારણે મૃતકોની સંખ્યા વધીને 128 થઈ ગઈ છે. ઘાયલોની સંખ્યામાં વધારો થવાની આશંકા છે. મોડી રાત્રે અહીં ભૂકંપ આવ્યો હતો.

Nepal Earthquake Live: વડાપ્રધાન પ્રચંડ નેપાળમાં ભૂકંપ પ્રભાવિત વિસ્તાર માટે રવાના થયા

નેપાળના ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલિક બચાવ, શોધ અને રાહત માટે, વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ નેપાળની સેનાની 16 તબીબી ટીમો અને જરૂરી સામગ્રી સાથે અસરગ્રસ્ત વિસ્તારમાં જવા રવાના થયા છે.

Nepal Earthquake Live: વડાપ્રધાન પ્રચંડ ભૂકંપ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે

વર્તમાન અપડેટ મુજબ, નેપાળમાં શુક્રવારે (3 નવેમ્બર 2023) રાત્રે 11:54 વાગ્યે આવેલા 6.4 તીવ્રતાના ભૂકંપમાં 1282 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ભૂકંપમાં 1000થી વધુ લોકો ઘાયલ થયા છે. નેપાળ સરકારના જણાવ્યા અનુસાર રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. સરકારના પ્રવક્તા અનુસાર, વડાપ્રધાન પુષ્પ કમલ દહલ શનિવારે (4 નવેમ્બર 2023) પ્રચંડ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા જઈ રહ્યા

બ્રેકગ્રાઉન્ડ

Earthquake: નેપાળમાં શુક્રવારે રાત્રે 11.32 કલાકે 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ન્યૂઝ એજન્સી ANI અનુસાર નેપાળમાં ભૂકંપના કારણે લગભગ 69થી વધુ લોકોના મોત થયા છે. તેમાંથી રૂકુમ પશ્ચિમમાં 36 અને જાજરકોટમાં 34 લોકોએ જીવ ગુમાવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુઆંક વધી શકે છે. ઈન્ડિયા ટુડે અનુસાર નેપાળમાં આવેલા ભૂકંપમાં 140 લોકો ઘાયલ થયા છે.


નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે ભૂકંપના કારણે થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે રાહત અને બચાવ માટે તમામ 3 સુરક્ષા એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે.


નેપાળના ભૂકંપના આંચકા દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને બિહારની રાજધાની પટનામાં પણ અનુભવાયા હતા. તેનું કેન્દ્ર નેપાળમાં કાઠમંડુથી 331 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં 10 કિલોમીટર ભૂગર્ભમાં હતું. ભારતમાં ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.


ગયા મહિને પણ દિલ્હી-NCRમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી. તો નેપાળમાં 2015માં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 12000થી વધુ લોકોના મોત થયા હતા. આમાં લગભગ 5 લાખ ઘરોને નુકસાન થયું હતું









મધ્યપ્રદેશના ભોપાલ, ગ્વાલિયર, જબલપુર, સતના અને રીવામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાજ્યના અગર માલવા અને મોરેના જિલ્લાના કેટલાક ભાગોમાં પણ ધરતીના આંચકા અનુભવાયા હતા. પ્રાથમિક માહિતી મુજબ રાજ્યમાં કોઈ નુકસાનની કોઈ માહિતી નથી.    


બિહારની ઘરા પણ ધ્રૂજી


બિહારમાં પટના, અરાહ, દરભંગા, ગયા, વૈશાલી, ખાગરિયા, સિવાન, બેતિયા, બક્સર, બગાહા, નાલંદા, નવાદા સહિત 11 જિલ્લાઓમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપ દરમિયાન લગભગ એક મિનિટ સુધી ધરતી ધ્રૂજતી રહી. આફ્ટરશોક્સ પણ ઘણી વખત અનુભવાયા હતા. સીતામઢી, મધુબની, સુપૌલ અને દરભંગાના કેટલાક વિસ્તારો ઝોન 5માં આવે છે, જે અત્યંત જોખમી છે. રાજધાની પટના સહિત બિહારનો બાકીનો ભાગ ઝોન 4માં આવે છે, જ્યાં ભૂકંપનું જોખમ ઓછું છે.


હરિયાણાના ગુરુગ્રામ સહિત અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. લોકો ભૂકંપ પછીની સ્થિતિની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. આમાં, પંખા અને છતની લાઇટ ધ્રૂજતી જોવા મળે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.