India Pakistan Tension: ઓપરેશન સિંદૂર પછી, ભારતે પાકિસ્તાન સામે બીજી મોટી કાર્યવાહીની તૈયારી કરી છે. ભારત પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં સામેલ કરવા માટે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) સાથે વાત કરી શકે છે. FATFનું કામ મની લોન્ડરિંગ અને આતંકવાદ માટે નાણાકીય સહાય પર નજર રાખવાનું છે. આ એક વૈશ્વિક સંસ્થા છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. આમાં પાકિસ્તાનનો હાથ હતો.

Continues below advertisement


પાકિસ્તાન આતંકવાદનો ગઢ રહ્યો છે અને વર્ષોથી આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડી રહ્યું છે. આ કારણે, તેમને ઘણી વખત ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. આતંકવાદી ભંડોળ માટે FATF દ્વારા જૂન 2018 માં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યું હતું, પરંતુ ઓક્ટોબર 2022 માં તેને ગ્રે લિસ્ટમાંથી દૂર કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનને 2008 માં પણ ગ્રે લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું હતું, પરંતુ પછી 2009 માં તેને દૂર કરવામાં આવ્યું હતું. તે 2012 અને 2015 દરમિયાન પણ ગ્રે લિસ્ટમાં હતું.


ભારત વિશ્વ બેંક સાથે પણ વાત કરી શકે છે


ભારત વિશ્વ બેંક તરફથી પાકિસ્તાનને આપવામાં આવતા ભંડોળનો પણ વિરોધ કરી શકે છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ તાજેતરમાં પાકિસ્તાનને 1 અબજ ડોલરનું ભંડોળ આપવાની મંજૂરી આપી છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાને લોન માટેની બધી શરતો સ્વીકારી લીધી છે. ભારતે IMF તરફથી પાકિસ્તાનને લોન આપવાનો પણ વિરોધ કર્યો હતો.


ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો


ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પહેલગામ હુમલાનો બદલો લીધો. તેણે પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આ સાથે, 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. પાકિસ્તાને માર્યા ગયેલા આતંકવાદીઓના સંપૂર્ણ સન્માન સાથે અંતિમ સંસ્કાર કર્યા. મહત્વની વાત એ છે કે આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં પાકિસ્તાન સેનાના ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ પાકિસ્તાન સમગ્ર દુનિયા સમક્ષ ખુલ્લુ પડી ગયું હતું.


પાકિસ્તાન અને આતંકવાદ સામે ભારતની કાર્યવાહી


આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરતા, ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન 9 ઠેકાણાઓનો નાશ કર્યો. આ પછી પાકિસ્તાની સેનાએ ભારત સામે મોરચો ખોલ્યો. ભારતે પાંચ પાકિસ્તાની જેટ વિમાનોને તોડી પાડીને બદલો લીધો. આ સમય દરમિયાન, પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેનાએ મજબૂત હવાઈ સંરક્ષણ પ્રણાલીની મદદથી તેને નિષ્ફળ બનાવ્યું.