G-20 Summit : જી-20 સંમેલનમાં ઇટાલી ગયેલા વડાપ્રધાન મોદીએ કોરોના વિરુદ્ધ ચાલી રહેલી લડાઇને લઇને નિવેદન આપ્યું છે. વડાપ્રધાને એક મહત્વાકાંક્ષી જાહેરાત કરતા કહ્યું કે હવે આગામી વર્ષથી ભારત વિશ્વના પાંચ બિલિયન વેક્સીન ડોઝનું ઉત્પાદન કરશે. હવે આ લક્ષ્યની પ્રાપ્તિ માટે જરૂરી થઇ જાય છે કે સમયની સાથે અન્ય દેશ ભારતની વેક્સીનને માન્યતા આપવામાં આવે અને ઓછામાં સમયમાં અપ્રુવલ સર્ટિફિકેટ મળી જાય. આ માટે આપણે અલગ અલગ દેશોની વેક્સીનને સર્ટિફિકેટ્સની પરસ્પર માન્યતા સુનિશ્વિત કરવી પડશે. 


નોંધનીય છે કે અત્યાર સુધી WHOએ ભારતની સ્વદેશી વેક્સીન કોવેક્સીનને માન્યતા આપી નથી. હાલમાં પ્રક્રિયા ચાલી રહી છે. હવે આ મુદ્દાને વડાપ્રધાન મોદીએ જી-20 સંમેલનમાં ઉઠાવ્યો છે. એક તરફ આખી દુનિયાની કોરોના કાળમાં મદદ કરવાની વાત કરી તો બીજી તરફ વેક્સીનને માન્યતા આપવાની પ્રક્રિયામાં ઝડપ લાવવાની પણ અપીલ કરી હતી.


Patel's Birth Anniversary: સરદારે એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને સમૃદ્ધ કરી- પીએમ મોદી


સરદાર નવા રાષ્ટ્રના નાયક- પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે એક ભારત, શ્રેષ્ઠ ભારત માટે જેણે જીવનની  તમામ ક્ષણ સમર્પિત કરી. એવા રાષ્ટ્ર નાયક સરદાર વલ્લભભાઇ પટેલને આજે દેશ પોતાની શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. સરદાર પટેલજી ફક્ત ઇતિહાસમાં જ નહી પણ દેશવાસીઓના હૃદયમાં છે. તેઓએ કહ્યું કે આજે દેશભરમાં એકતાનો સંદેશ લઇને આગળ વધી રહેલા આપણા ઉર્જાવાન સાથી, ભારતની અખંડતા પ્રત્યે, અખંડ ભાવના પ્રતિક છે. આ ભાવના દેશના ખૂણે ખૂણામાં છે. રાષ્ટ્રીય એકતા પરેડમાં થઇ રહેલા આયોજનોમાં દેખાઇ રહ્યું છે. સેંકડો વર્ષોથી ભારતના  સમાજ, પરંપરાઓથી લોકતંત્રના પાયાઓ મજબૂતાઇથી વિકસિત થયા છે તેણે એક ભારતની ભાવનાને સમૃદ્ધ કરી છે.


સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પર પરેડનુ આયોજન
સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પર થયુ પરેડનુ આયોજન, આજે સરદાર વલ્લભભાઇ પટેલની જયંતી પર ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પર પરેડનુ આયોજન કરવામાં આવ્યુ, આ દરમિયાન અમિત શાહ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત બીજેપીના કેટલાય મોટા નેતાઓ હાજર રહ્યાં.