Lok Sabha Election 2024: અમેરિકન રાજનીતિ વિજ્ઞાની ઇયાન બ્રેમરે લોકસભા ચૂંટણી વચ્ચે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ભાજપને 305 બેઠકો મળશે. પ્લસ અને માઈનસ 10 સીટોની સંભાવના છે.


અમેરિકાના પ્રસિદ્ધ રાજકીય નિષ્ણાત અને રિસ્ક એન્ડ રિસર્ચ કન્સલ્ટિંગ ફર્મ યૂરેશિયા ગૃપના સ્થાપક ઈયાન બ્રેમરે NDTVને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું, "યૂરેશિયા ગ્રુપના સંશોધનમાં જાણવા મળ્યું છે કે ભાજપને 295 થી 315 બેઠકો જીતવાની આશા છે."


વળી, લોકસભા ચૂંટણીના પાંચ તબક્કાઓ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહિત અન્ય નેતાઓએ પણ બહુમતી મેળવવાનો દાવો કર્યો છે. બીજીતરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા'માં સામેલ અન્ય નેતાઓ કહી રહ્યા છે કે લોકોએ ભાજપને નકારી કાઢ્યો છે.


કોણ શું કરી રહ્યું છે ? 
બુધવારે (22 માર્ચ, 2024) દિલ્હીના દ્વારકામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે, પીએમ મોદીએ દાવો કર્યો હતો કે મતદાનના પાંચ તબક્કાએ ભાજપ-એનડીએની મજબૂત સરકારની પુષ્ટિ કરી છે.


કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પશ્ચિમ બંગાળના કાંથી લોકસભા ક્ષેત્રમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું, “શું તમે જાણવા માંગો છો કે NDAની અત્યાર સુધીની સ્થિતિ શું છે? હું તમને કહી શકું છું કે પહેલા પાંચ તબક્કા પછી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ 310નો આંકડો પાર કરી ચૂકી છે. ,


મલ્લિકાર્જૂન ખડગેએ શું કહ્યું ?
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ હાલમાં જ એનડીટીવી સાથે વાત કરતા કહ્યું હતું કે ગઠબંધન 'ઇન્ડિયા'ને કેટલી સીટો મળશે તે કહી શકાય તેમ નથી, પરંતુ ભાજપ સત્તાથી બહાર થઈ જશે.


લોકસભા ચૂંટણીમાં કયા મુખ્ય પક્ષ છે ?
આ લોકસભા ચૂંટણીમાં એકતરફ બીજેપીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ છે. બીજીતરફ, કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, આમ આદમી પાર્ટી, TMC, DMK અને ડાબેરીઓ સહિત અનેક પક્ષોનું વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા' છે. આ સિવાય પૂર્વ સીએમ માયાવતીની બીઆરએસ અને કેસીઆરની બીઆરએસ સહિત ઘણી પાર્ટીઓ બંનેમાંથી કોઈ ગઠબંધનનો ભાગ નથી.