અંકારાઃ તુર્કીયેમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) એ જણાવ્યું હતું કે શનિવારે મધ્ય તુર્કીયેમાં રિએક્ટર સ્કેલ પર 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર ભૂકંપ 10 કિમીની ઉંડાઈએ આવ્યો હતો. EMSC અનુસાર, છેલ્લા 66 કલાકમાં મધ્ય તુર્કીયેમાં અનુભવાયેલો આ 37મો ભૂકંપ છે. છેલ્લા 66 કલાકમાં 37મો આંચકો છે. ભૂતકાળમાં તુર્કીયે અને સીરિયામાં આવેલા વિનાશને કારણે 50,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને હજારો ઘરો નાશ પામ્યા છે.


નોંધનીય છે કે, શનિવારનો ભૂકંપ દેશના સરહદી વિસ્તારોમાં  થોડા અઠવાડિયા પછી આવ્યો છે. નોંધનીય છે કે અગાઉ આવેલા ભયાનક ભૂકંપમાં 50,000 થી વધુ લોકો માર્યા ગયા હતા અને હજારો ઘરો નાશ પામ્યા હતા.


એક સરકારી અધિકારીએ કહ્યું હતું કે દરમિયાન, તુર્કીયેએ છેલ્લા વિનાશક ભૂકંપ બાદ ઘરો ફરીથી બાંધવાનું કામ શરૂ કર્યું છે. 


6 ફેબ્રુઆરીના રોજ આવેલા ભયાનક ભૂકંપમાં 5,20,000 એપાર્ટમેન્ટ્સ ધરાવતી 1,60,000 થી વધુ ઇમારતો ધરાશાયી થઈ હતી અથવા ભારે નુકસાન થયું હતું, જેમાં તુર્કીયે અને પડોશી સીરિયામાં હજારો લોકો માર્યા ગયા હતા.


ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટી (એએફએડી) મુજબ, શુક્રવારે રાત્રે ભૂકંપના કારણે તુર્કીયેમાં મૃત્યુઆંક વધીને 44,218 પર પહોંચી ગયો છે. તુર્કીયેના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને એક વર્ષની અંદર ક્ષતિગ્રસ્ત મકાનો ફરીથી બનાવવાનું વચન આપ્યું છે, જોકે નિષ્ણાતોએ કહ્યું છે કે સત્તાવાળાઓએ ઝડપ પહેલા સલામતી રાખવી જોઈએ.



રોઇટર્સે એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે  "કેટલાક પ્રોજેક્ટ્સ માટે ટેન્ડર અને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. પ્રક્રિયા ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે.  સુરક્ષામાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘણા લોકો માટે તંબુ મોકલવામાં આવ્યા છે જેઓ બેઘર છે.


અહેવાલો મુજબ, સરકારની પ્રારંભિક યોજના હવે 15 બિલિયન ડોલરના ખર્ચે 2,00,000 એપાર્ટમેન્ટ્સ અને 70,000 ગામડાના ઘરો બાંધવાની છે. UNDPએ જણાવ્યું હતું કે તેનો અંદાજ છે કે વિનાશને કારણે 1.5 મિલિયનથી વધુ લોકો બેઘર થઈ ગયા છે, જેમાં ઓછામાં ઓછા 5,00,000 નવા ઘરોની જરૂર છે.


Earthquake: તુર્કી-સીરિયા બાદ હવે ભારત કરશે આ ભૂકંપગ્રસ્ત દેશની મદદ, પીએમ મોદીએ ભૂકંપની સ્થિતિની લીધી નોંધ


India Help in Tajikistan Earthquake: તુર્કીય-સીરિયા બાદ હવે ભારત તઝાકિસ્તાનની ભૂકંપ (Tajikistan Earthquake) ની સ્થિતિથી નિપટવામાં મદદ કરશે. ગુરુવારે (23 ફેબ્રુઆરી) એ તઝાકિસ્તાન (Tajikistan)માં આવેલા ભૂકંપ બાદ ભારત સ્થિતિ પર નજર રાખી રહ્યુ છે. સુત્રો અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ તઝાકિસ્તાનમાં આવેલા ભૂકંપ (Earthquake) થી સર્જાયેલી સ્થિતિની મુલાકાત કરી છે, અને તેના પ્રભાવથી સંબંધિત ઘટનાક્રમ પર નજર રાખી રહ્યાં છે.


જાણકારી અનુસાર, ભારતીય અધિકારીઓ તઝાકિસ્તાનના અધિકારીઓના સંપર્કમાં છે, અને ભારત સરકારના સંબંધિત નિકાય જરૂરી મદદ માટે નિકટતાથી સમન્વય કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, 6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં ભયાનક ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ ભારતે મદદ મોકલીને ભૂકંપ પીડિતો માટે ઓપરેશન દોસ્ત ચલાવ્યુ હતુ. ભારતે એનડીઆરએફ જવાનોની ટીમ મોકલી હતી. સાથે રાહત સામગ્રી અને ચિકિત્સા ઉપકરણો પણ મોકલવામાં આવ્યા હતા