કાઠમાંડું: નેપાળમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં ત્યાંના પ્રવાસન મંત્રી રબિન્દ્ર અધિકારી સહિત કુલ સાત લોકોના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ હેલિકોપ્ટરમાં સવાર લોકો પૂર્વ નેપાળમાં હિંદું મંદિર પથિભારામાં દર્શન કર્યા બાદ કાઠમાંડું પરત ફરી રહ્યા હતા. ત્યારે પહાડી વિસ્તારમાં ક્રેશ થઈ ગયું હતું. દુર્ઘટના કારણ હજુ જાણી શકાયું નથી તેની તપાસ ચાલી રહી છે.


બચાવ કર્મીઓએ મંત્રી, પાયલટ અને અન્ય પાંચ યાત્રીઓના શબ જપ્ત કર્યા છે. પ્રવાસન મંત્રાલયના પ્રવક્તાએ આ વાતની પુષ્ટી કરતા કહ્યું કે હેલિકોપ્ટરમાં યાત્રા કરી રહેલા તમામ સાત લોકોની દુર્ઘટનામાં મોત નીપજ્યું છે.