ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં બળાત્કારના ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ફેડરલ કેબિનેટે મહિલાઓ અને બાળકો સાથે વધતા જતા જાતીય અપરાધો સાથે વ્યવહાર કરવા માટે બળાત્કાર વિરોધી અધ્યાદેશને મંજૂરી આપી છે. આ વટહુકમોનો ઉદ્દેશ બળાત્કારના દોષિતોની જાતીય ક્ષમતામાં ઘટાડો કરવો અને તેમને ફાંસીની જેમ કડક સજા કરવી. આ વટહુકમમાં રાસાયણિક માધ્યમ દ્વારા ખસી કરીને નપુંસક બનાવવા અને જાતીય સતામણીના કેસોમાં ઝડપી સુનાવણીની જોગવાઈ છે.


મીડિયા રિપોર્ટ અનુસાર, ડ્રાફ્ટમાં પોલીસ તંત્રમાં મહિલાઓની ભૂમિકા વધારવી, બળાત્કારના કેસમાં ઝડપી કાર્યવાહી કરવી અને સાક્ષીઓનું રક્ષણ સામેલ છે. વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે, આ ગંભીર બાબત છે અને આ મામલામાં વિલંબ સહન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું, 'આપણે આપણા નાગરિકો માટે સલામત વાતાવરણ બનાવવું પડશે.'

વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે, બળાત્કારનો ભોગ બનેલા લોકો ડર્યા વિના ફરિયાદો નોંધાવી શકશે અને સરકાર તેમની ઓળખ છુપાવશે. કેટલાક સંઘીય મંત્રીઓએ બળાત્કાર કરનારને જાહેરમાં ફાંસી આપવાની ભલામણ પણ કરી હતી. શાસક પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના સાંસદ ફૈઝલ જાવેદ ખાને ટ્વિટર પર લખ્યું છે કે ટૂંક સમયમાં સંસદમાં કાયદો રજૂ કરવામાં આવશે.