Pakistan Political Crisis: પાકિસ્તાનમાં ફરી એકવાર રાજકીય ધમાસાન શરૂ થઇ ગયુ છે, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) ના ચીફ ઇમરાન ખાન (Imran Khan) અને સત્તાધારી પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના નેતાઓની વચ્ચે જોરદાર જુબાની જંગ છેડાઇ ગયો છે. તાજેતરમાં જ એક એવી ઘટના ઘટી છે જેના પર લોકો હંસી રહ્યા છે. ખરેખરમાં એક વિચિત્ર નિવેદન ઇમરાન ખાનની પાર્ટીના નેતા તરફથી આવ્યું છે, જે હાલમાં ખુબ ચર્ચામાં છે. 


ખરેખરમાં, ઇમરાન ખાનની પાર્ટીના નેતા ફૈયાઝ ઉલ હસને (Fayyaz Al Hassan) પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝની ઉપાધ્યક્ષ મરિયમ નવાઝ (Maryam Nawaz) પર તાજેતરમાં જ જોરદાર નિશાન સાધ્યુ. તેમને કહ્યું કે- કાલે બેગમ સફદરે કહ્યું કે, ઇમરાન ખાને બહાદુરી નવાઝ શરીફ પાસેથી ઉધાર લઇ લેવી જોઇએ. આ બિલકુલ એવુ છે જેમ કે સની લિયૉની (Sunny Leone) પાસેથી શરમ ઉધાર લઇ લો.


ફૈયાઝ ઉલ હસને નવાઝ શરીફના બહાને ઘેર્યા - 
ફૈયાજ ઉલ હસન આટલે ના રોકાયા. તમને મરિયમ નવાઝ પર નિશાન સાધતા કહ્યું- શરમથી ડુબી મરવુ જોઇએ, તારો બાપ સુલ્તાન મફરુર 4 અઠવાડિયાનું કહીને 4 વર્ષથી બહારથી નથી આવ્યો, તે આખા પાકિસ્તાનના ઇરાદાઓ પર ચૂનો લગાવીને 50 રૂપિયાના સ્ટેમ્પ પર લખીને ગયો અને તે 50 રૂપિયાના સ્ટેમ્પ પર જામીન આપ્યા સુલ્તાન મજબૂર શહબાઝ શરીફે. ફૈયાઝ ઉલ હસને આગળ કહ્યું સુલ્તાન મજબૂર શાહબાઝ શરીફે જામીન આપતા કહ્યું ભાઇજાન આને જવા દો હું ગવાહી આપુ છું, આ 4 અઠવાડિયામાં પાછો આવી જશે. 


'હંમેશા ઇમરાન ખાનનુ નામ જપે છે મરિયમ'
ફૈયાઝ ઉલ હસને પોતાના નિવેદનમાં કહ્યું - બેગમ સફદરની યાદોમાં માત્ર ઇમરાન ખાન જ હોય છે, તે સવાર -સાંજ ઇમરાન ઇમરાન કરતી રહે છે. બેગમ સફદર હંમેશા કહે છે કે, તુ ઇમરાન ખાન, તમારા ઇમરાન ખાન, આ ઇમરાન ખાન, તે ઇમરાન ખાન, આને પકડો, આની ધરપકડ કરો, આને કોર્ટમાં લઇને આવો, મારુ દિલ રાજી નથી થતુ, મારુ દિલ નથી લાગતુ.


 


Pakistan: 'પાકિસ્તાનમાં બધુ બરાબર ચાલે છે, આ તો વિરોધીઓ અફવાઓ ફેલાવે છે', - કંગાળ દેશના મંત્રીનુ હાસ્યાસ્પદ નિવેદન


Pakistan Ishaq Dar On Economic Crisis: પાકિસ્તાનમાં આર્થિક સ્થિતિ ધીમે ધીમે વધુ તંગ થઇ રહી છે. સરકારની પાસે વિદેશી મુદ્રા ભંડારની પણ કમી છે. મોંઘવારી ચરમ પર પહોંચી ચૂકી છે, અને સામાન્ય નાગરિકોને બે ટંકનું ખાવાનુ મળવુ પણ મુશ્કેલ બની રહ્યું છે. કેટલાય પરિવારો ભૂખ્યા પેટે રાત્રે સૂઇ રહ્યાં છે. લોકો દાણા-દાણા માટે રઝળી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે પાકિસ્તાનના નાણાં મંત્રીએ (Pakistan Finance Minister) એક હાસ્યાસ્પદ નિવદેન આપ્યુ છે, તેમને દાવો કર્યો છે કે, પાકિસ્તાનમાં બધુ બરાબર ચાલી રહ્યું છે, અને કંગાળીને લઇને માત્ર અફવાઓ જ ફેલાવવામાં આવી રહી છે.  


પાકિસ્તાનના નાણાં મંત્રી ઇશાક ડાર (Ishaq Dar)નું કહેવુ છે કે, કંગાળીને લઇને વિરોધી દૂર્ભાગ્યપૂર્ણ અફવાઓ ફેલાવી રહ્યાં છે. જે બિલકુલ જુઠ્ઠી છે. 


શું પાકિસ્તાનની કંગાળી માત્ર અફવા ?
નાણામંત્રી ઇશાક ડારનો દાવો છે કે પાકિસ્તાન ડિફૉલ્ટ નથી કરી રહ્યું. પાકિસ્તાન વિરોધ તત્વ દૂર્ભાગ્યપૂર્ણ અફવા ફેલાવી રહ્યાં છે કે પાકિસ્તાન ડિફૉલ્ટ થઇ શકે છે. આ પુરેપુરી રીતે જુઠ્ઠુ છે અને તથ્યોને જુઠલાવવામાં આવ્યા છે. એસબીપી વિદેશી મુદ્રા ભંડાર વધી રહ્યો છે. સમય પર તમામ બહારની ચૂકવણી કરવા છતાં ચાર અઠવાડિયા પહેલાની સરખામણીમાં લગભગ 1 બિલિયન ડૉલર વધુ છે. 


નાણામંત્રી ઇશાક ડારનો દાવો  -
પાકિસ્તાનના નાણામંત્રીએ આગળ દાવો કર્યો છે કે, વિદેશી કૉમર્શિયલ બેન્કોએ પાકિસ્તાનમાં સુવિધાઓ આપવાનુ શરૂ કરી દીધુ છે, તેમને કહ્યું કે, આઇએમએફની સાથે અમારી વાતચીત શરૂ થવાની છે, અને અમે આગામી સપ્તાહ સુધી આઇએમએફની સાથે કરાર પર હસ્તાક્ષર કરવાની આશા રાખીએ છીએ, તમામ આર્થિક સંકેતક ધીમે ધીમે યોગ્ય દિશામાં જઇ રહ્યાં છે.