મુલ્તાન: પાકિસ્તાનમાં સેનાનું એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ચાર લોકોનાં મોત થયા છે. પાકિસ્તાન સેનાએ કહ્યું કે, બચાવ અભિયાન દરમિયાન સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં ચાર લોકોનાં મોત થયા છ.


સેનાએ જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર હિમસ્ખલનના કારણે મૃત્યુ પામેલા એક જવાનનો મૃતદેહ લઈ જઈ રહ્યું હતું, ત્યારે તકનીકી ખામીના કારણે એસ્તોર જિલ્લાના ઉત્તરી મિનીમર્ગ એરિયામાં શનિવારે સાંજે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટનામાં મૃત્યુ પામનાર લોકોમાં પાયલટ, કો-પાયલટ અને બે સેનાના જવાન સામેલ હતા.