ઉપરાંત મુશર્રફે પાકિસ્તાની સરકારનું સમર્થન કરતા કહ્યું કે, ‘પુલવામા હુમલામાં જૈશનો હાથ હતો, તેમાં ઇમરાન સરકારની કોઈ પણ પ્રકારની ભૂમિકા નથી. તેથી પાકિસ્તાનને દોષી ગણાવવાનું બંધ કરો. મારી જૈશ પ્રત્યે કોઈ સંવેદના નથી. આ હુમલો જૈશ-એ-મહોમ્મદે કર્યો છે ન કે પાકિસ્તાનની સરકારે. જૈશે મારા પર પણ હુમલો કરવાના પ્રયત્નો કર્યા હતા.’ તેમણે કહ્યું કે, ‘આ હુમલા બાદ ભારતમાં જે માહોલ બન્યો છે તે ઘણો ઉશકેરણી જનક છે. ભારતીય ટીવી ચેનલ પર પાકિસ્તાનને ગાળો આપવામાં આવી રહી છે, જે બિલકુલ યોગ્ય નથી.’
ઉપરાંત પીએમ મોદાના નિવેદનને લઈને મુશર્રફે કહ્યું કે, ‘જો પાકિસ્તાન પર હુમલો કરવામાં આવશે તો આ મોદીના જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થશે.’ તેમણે કહ્યું કે,‘પીએમ મોદી કહે છે કે મારા દિલમાં આગ છે. હું કહું છું કે જ્યારે ત્યાં કાશ્મીરીઓને મારવામાં આવે છે ત્યારે મારા દિલમાં પણ વધુ આગ લાગે છે. કાશ્મીરી બાળકોની આંખોમાં ગોળી મારવામાં છે, ત્યારે મારી આંખોમાં આંસુ આવે છે.’