Russia-Ukraine War: રશિયા અને યૂક્રેન વચ્ચે છેલ્લા કેટલાય સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, હવે આ યુદ્ધમાં પરમાણું હુમલો થાય તો નવાઇની વાત નથી. તાજેતરમાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, તેમણે પરમાણુ બૉમ્બના ઉપયોગ પર ઘણા ફેરફારો કર્યા છે. આ અંતર્ગત જો રશિયા પર કોઈપણ મિસાઈલથી હુમલો કરવામાં આવશે તો તે પરમાણુ હુમલો કરવામાં ખચકાશે નહીં. તેમની તરફથી આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશ બે વર્ષથી વધુ સમયથી યુક્રેન સાથે યુદ્ધ લડી રહ્યો છે.


રશિયાની સુરક્ષા પરિષદની ટેલિવિઝન બેઠકમાં પુતિને જાહેરાત કરી કે આયોજિત સુધારાઓ હેઠળ, તેમના દેશ પરના કોઈપણ મિસાઈલ હુમલાનો જવાબ પરમાણુ બૉમ્બથી આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે તાજેતરના સમયમાં પશ્ચિમી દેશો દ્વારા યૂક્રેનને ઘણી ક્રૂઝ મિસાઈલો આપવામાં આવી છે. જે રશિયાની અંદર લાંબા અંતર સુધી હુમલો કરી શકે છે. દરમિયાન, અમેરિકા અને બ્રિટન તરફથી પરવાનગી મળી છે કે યૂક્રેન સ્ટૉર્મ શેડો ક્રૂઝ મિસાઈલનો ઉપયોગ કરીને રશિયાની અંદર હુમલો કરી શકે છે. આ પછી રશિયા ગુ્સ્સે ભરાઇ ગયું છે.


પશ્ચિમી દેશોને પુતિનની ધમકી - 
સ્ટૉર્મ શેડો ક્રૂઝ મિસાઈલની વાત કરીએ તો તે 500 કિમીના અંતર સુધી હુમલો કરી શકે છે. અગાઉ યૂક્રેન તેનો ઉપયોગ રશિયા સાથેની સરહદ સુધી જ કરતું હતું. પરંતુ જેવો આદેશ અમેરિકા અને બ્રિટન દ્વારા આપવામાં આવ્યો છે. એવી આશંકા છે કે તે રશિયાના આંતરિક વિસ્તારોમાં તેનો ઉપયોગ કરી શકે છે. આ કારણથી પુતિને પરમાણુ હુમલાની ધમકી આપી છે. તેમણે કહ્યું કે જો યૂક્રેન ભૂલથી પણ મિસાઈલનો ઉપયોગ કરે તો અમે સમજીશું કે પશ્ચિમી દેશ સીધો જ અમારી વિરુદ્ધ યુદ્ધના મેદાનમાં ઉતરી ગયો છે.


રશિયાની પાસે પરમાણું હથિયારોનો ભંડાર - 
રશિયા પાસે લગભગ 6,372 પરમાણુ હથિયારો છે. આ પછી પરમાણુ હુમલાની ધમકી બાદ દુનિયામાં તણાવ વધી ગયો છે. કારણ કે, રશિયાએ વર્ષ 2020માં પરમાણુ હથિયારોના ઉપયોગમાં ફેરફાર કર્યા છે, જે મુજબ જો તેના અસ્તિત્વને ખતરો લાગશે તો તે હુમલો કરશે.


યૂક્રેન યુદ્ધમાં પરમાણુ હુમલાની જરૂર નથી  
બીજીતરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ મહિને કહ્યું હતું કે યૂક્રેન સાથે યુદ્ધ જીતવા માટે રશિયાને પરમાણુ હુમલાની જરૂર નથી. આ સાથે રશિયાએ સ્પષ્ટ કર્યું કે બીજા વિશ્વયુદ્ધ પછી પશ્ચિમનો સૌથી ઘાતક હુમલો પરમાણુ યુદ્ધમાં ફેરવાશે નહીં, પરંતુ રશિયાએ પણ ઘણી વખત કહ્યું છે કે જો જરૂરી હોય તો પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકાય છે. હવે રશિયા પરમાણુ હથિયારોના ઉપયોગના સિદ્ધાંતને બદલવાની વાત કરી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે રશિયાના કેટલાક કટ્ટરવાદી વિચારધારાવાળા લોકો રશિયન સરકાર પર આ પ્રકારનું દબાણ કરી રહ્યા છે.


આ પણ વાંચો


રશિયા કરશે પરમાણુ હુમલો, ન્યૂક્લિયર નિયમોમાં ફેરફાર કરશે ને પછી..... પુતિનનો આદેશ