Russia Ukraine War: યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીયોને પરત લાવવા માટે વૈકલ્પિક માર્ગ અપનાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન, સૂત્રોએ જણાવ્યું હતું કે યુક્રેનમાં હાજર તમામ ભારતીયોને તેમના વાહનો પર ભારતીય ધ્વજ લગાવવા અને તેમની ઓળખ સુનિશ્ચિત કરવા માટે સ્થળાંતર કામગીરી માટે જતા સમયે ભારત લખવાનું કહેવામાં આવ્યું છે. ખાસ કરીને કોન્ફ્લિક્ટ ઝોન માટે આ સૂચનાઓ આપવામાં આવી છે.


શુક્રવારે વિદેશ મંત્રી એસ. જયશંકરે યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબા સાથે ફોન પર વાત કરી હતી. આ વાતચીત પછી જયશંકરે કહ્યું કે તેમણે (કુલેબા) વર્તમાન પરિસ્થિતિનું પોતાનું આંકલન શેર કર્યું, મેં ભારપૂર્વક કહ્યું કે ભારત ઉકેલ શોધવા માટે રાજદ્વારી અને વાતચીતને સમર્થન આપે છે. જયશંકરે કહ્યું કે મેં વિદ્યાર્થીઓ સહિત ભારતીયોની સ્થિતિ અંગે ચર્ચા કરી. તેના સુરક્ષિત વળતર માટે તેમના સમર્થનની પ્રશંસા કરીએ છીએ.


લગભગ 20 હજાર ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે. આમાંના ઘણા વિદ્યાર્થીઓ છે. ભારત યુક્રેનની હંગેરી, પોલેન્ડ, સ્લોવાકિયા અને રોમાનિયા સરહદો દ્વારા ભારતીયોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે કારણ કે રશિયન આક્રમણ બાદ યુક્રેનની સરકારે તેની એરસ્પેસ બંધ કરી દીધી છે.


ભારતના વિદેશ મંત્રીએ યુક્રેનના વિદેશ મંત્રી સાથે કરી વાત


એસ.જયશંકરે કહ્યું કે , મેં વર્તમાન પરિસ્થિતિને લઇને વાતચીત કરી હતી. મે ભારપૂર્વક જણાવ્યું હતું કે  ભારત કૂટનીતિ અને વાતચીતનું સમર્થન કરે છે. વિદ્યાર્થીઓ સહિત ભારતીયોની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. તેમને સુરક્ષિત પાછા લાવવાના તેમના સમર્થનની પ્રશંસા કરીએ છીએ. યુક્રેનમાં હાજર તમામ ભારતીયોને તેમના વાહન પર ભારતીય ધ્વજ લગાવવા અને તેમની ઓળખ સુનિશ્ચિત કરવા ઇન્ડિયા લખવાનું કહેવામાં આવ્યું છે.


યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે એક સારા સમાચાર છે. ભારત સરકારે આ લોકોને રેસ્ક્યુ કરવા માટે એર ઈન્ડિયાના બે વિમાન મોકલવાનો નિર્ણય કર્યો છે.  આ બન્ને વિમાન શનિવારે વહેલી સવારે ઉડાન ભરશે. આ વિમાન રોમાનિયાની રાજધાની બુખારેસ્ટના રસ્તાથી લોકોને એરલિફ્ટ કરશે. 


યુક્રેન બોર્ડર સુધી પહોંચી બચાવ ટુકડી


આ પહેલાં ભારતીય રેસ્ક્યુ ટીમ રોમાનિયાની બોર્ડર સુધી પહોંચી ગઈ છે જ્યાંથી યુક્રેનની રાજધાની કીવ ફક્ત 12 કલાકની મુસાફરી કરીને પહોંચી શકાય છે. આ ભારતીય રેસ્ક્યુ ટીમ ભારતીય લોકોને બુખારેસ્ટ લઈને આવશે. ત્યાર બાદ આ લોકોને વિમાનમાં બેસાડવામાં આવશે. યુક્રેનમાં હાલ નાગરિકોની ફ્લાઈટો બંધ હોવાથી આ લોકોને બુખારેસ્ટથી ફ્લાઈટમાં ભારત લાવવામાં આવશે.