યુક્રેન પર રશિયાના હુમલા બાદ પશ્ચિમી સંગઠન 'NATO' રશિયા પ્રત્યે કડક વલણ અપનાવી રહ્યું છે અને તેના પર તમામ આર્થિક પ્રતિબંધો લાદી રહ્યું છે. આ સિવાય NATO પણ રશિયાને લઈને મોટા નિવેદનો આપી રહ્યું છે, જેના કારણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોટો નિર્ણય લીધો છે. પુતિને રશિયાના ન્યુક્લિયર ડિટેરેન્સ ફોર્સને હાઈ એલર્ટ પર રાખવાનો આદેશ આપ્યો છે. આનાથી વિશ્વભરમાં ચિંતા વધી છે.


રશિયાના રાષ્ટ્રપતિએ રવિવારે રશિયન સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુ અને ચીફ ઑફ જનરલ સ્ટાફ વેલેરી ગેરાસિમોવ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન પુતિને કહ્યું હતું કે "પશ્ચિમના દેશો માત્ર આપણા દેશ સામે આર્થિક પગલાં નથી લઈ રહ્યા, પરંતુ મોટા નાટો દેશોના નેતાઓ આપણા દેશ વિશે આક્રમક નિવેદનો આપી રહ્યા છે. હું રશિયન દળોને વિશેષ ફરજ પર સ્થાનાંતરિત કરવાનો આદેશ આપું છું."  નાટો દેશો દ્વારા "આક્રમક નિવેદનો" ના જવાબમાં પુતિને તેમની સેનાને રશિયાના પરમાણુ પ્રતિરોધક દળોને ઉચ્ચ ચેતવણી પર મૂકવાનો આદેશ આપ્યો છે.


યુક્રેન પર હુમલા બાદ પશ્ચિમી દેશો સાથે વધી રહેલા તણાવને કારણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શું નિર્ણય લીધો છે. પુતિને રશિયાના સંરક્ષણ પ્રધાન અને લશ્કરી જનરલ સ્ટાફના વડાને પરમાણુ વિરોધી દળોને "યુદ્ધ સંબંધિત જવાબદારી માટે તૈયાર" રાખવાનો આદેશ આપ્યો હતો. આ પહેલા ફ્રાંસના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે રશિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ધમકી આપી રહ્યું છે, પરંતુ તેણે ધ્યાનમાં રાખવું જોઈએ કે નાટો પાસે પણ પરમાણુ હથિયારો છે.


પુતિને વિદેશી દેશોને તેમના યુક્રેન પરના આક્રમણમાં હસ્તક્ષેપ ન કરવાની ચેતવણી આપતા કહ્યું છે કે જો કોઈ આવું કરશે તો તે ખૂબ જ ખતરનાક હશે. રશિયાએ બેલારુસમાં હવા-રોધી મિસાઈલ અને અન્ય અદ્યતન મિસાઈલ સિસ્ટમ તૈનાત કરી છે. રશિયાના આક્રમણમાં અત્યાર સુધીમાં સેંકડો લોકોના મોત થયા છે. રશિયાએ કિવ, ખાર્કિવ અને અન્ય મોટા યુક્રેનિયન શહેરોની ઇમારતો પર મિસાઇલ હુમલા કર્યા છે.


યુક્રેનના રાષ્ટ્રપતિ Zelenskyની અપીલ- રશિયાને UNSCમાંથી બહાર કરી દેવું જોઇએ


યુક્રેનના રાષ્ટ્રપતિ Volodymyr Zelenskyyએ કહ્યું કે યુક્રેન પરના હુમલા બાદ રશિયાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાંથી બહાર ફેંકી દેવું જોઈએ. યુક્રેનના રાષ્ટ્રપતિએ રવિવારે એક વીડિયો જાહેર કરીને આ વાત કહી હતી.


 યુક્રેનના  રાષ્ટ્રપતિએ વીડિયોમાં કહ્યું કે  યુક્રેન પર રશિયન આક્રમણ નરસંહાર સમાન છે. તેમણે કહ્યું કે રશિયાએ યુદ્ધનો  માર્ગ અપનાવ્યો છે, તેથી રશિયાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાંથી બહાર ફેંકી દેવું જોઈએ.


 Volodymyr Zelenskyyએ કહ્યું કે યુક્રેનિયન શહેરો પર રશિયન હુમલાની આંતરરાષ્ટ્રીય યુદ્ધ અપરાધ ટ્રિબ્યુનલ દ્વારા તપાસ થવી જોઈએ અને રશિયન આક્રમણની નિંદા થવી જોઈએ. યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયાના દાવાને ખોટો ગણાવ્યો કે તે નાગરિક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું નથી.


 અગાઉ રશિયન હુમલા વિશે યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે શનિવારની રાત ક્રૂર હતી. રશિયન સેના દ્વારા ઈમારતો પર બોમ્બમારો કરવામાં આવ્યો છે. રશિયન સૈનિકો એવા વિસ્તારો પર હુમલો કરી રહ્યા છે જ્યાં કોઈ સૈન્ય માળખાગત સુવિધા નથી. જે વિસ્તારોમાં રશિયાના કબજામાં છે ત્યાં સૈનિકો એમ્બ્યુલન્સ સહિત નાગરિકો પર હુમલો કરી રહ્યા છે.