રશિયન દૂતાવાસે કહ્યું કે મોસ્કો અને નવી દિલ્હી વચ્ચે ફ્લાઇટ્સ અઠવાડિયામાં બે વાર ચલાવવામાં આવશે. જો કે, હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે આ સેવાઓ ક્યારે શરૂ થશે. રશિયન દૂતાવાસે જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય વિદ્યાર્થીઓ પણ વિદ્યાર્થી વિઝા પર રશિયામાં પ્રવેશ મેળવી શકશે. તે જ સમયે, તે લોકો કે જેઓને રશિયામાં રોકાવાની મંજૂરી છે, તેઓ વિઝા મેળવી શકશે.
વિઝા માટે અરજી કરતી વખતે અરજદારે કોવિડ -19 નો રિપોર્ટ પણ બતાવવો પડશે. આ સિવાય અત્યારે ઇ-વિઝા સસ્પેન્ડ કરાયા છે. ભારત અને રશિયા વચ્ચે એર બબલ બનાવવા માટે વાટાઘાટો પણ ચાલી રહી છે. બંને પક્ષની મંજૂરી બાદ ફ્લાઇટ્સને સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવશે.