આ પુરાવામાં સાઉદી પ્રિન્સના ભાઇ ખાલિદ બિન સલમાન અને ખશોગી વચ્ચે ફોન પર થયેલી વાતચીત પણ સામેલ છે જેમાં તે પત્રકાર ખશોગીને પોતાના દસ્તાવેજ લેવા માટે ઇસ્તંબુલમાં સાઉદી દૂતાવાસમાં જવા કહ્યું હતું અને પુરી રીતે તેમને સુરક્ષા આપવાનું પણ આશ્વાસન આપ્યું હતું. નોંધનીય છે કે સાઉદી પ્રિન્સના ભાઇ ખાલિદ બિન સલમાન આ સમયે અમેરિકામાં સાઉદીના રાજદૂત છે. સૂત્રોના મતે આ કોલ સાઉદી પ્રિન્સના આદેશો બાદ કરવામાં આવી હતી.
સાઉદીના કિંગ સલમાન બિન અબ્દુલ અજીજ અને ક્રાઉન પ્રિન્સ બંન્નેએ જમાલ ખશોગીના મોત બાદ તેમના દીકરા સાલાહ ખશોગીને રિયાદના અલ યમામા પેલેસમાં મુલાકાત કરી હતી. ક્રાઉન પ્રિન્સે ખશોગીના મોત પર દુખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે સાઉદી સરકાર આ મામલે પૂરી તપાસ કરશે. સીઆઇએ અગાઉ તુર્કીના એક ન્યૂઝપેપરે આરોપ લગાવ્યો હતો કે તેમની પાસે પત્રકાર ખશોગીની હત્યાને લઇને સાઉદી અરેબિયાની થિયરીનું ખંડન કરનારા પુરાવા છે. જેમાં બે ઓડિયો રેકોડિંગની વાત કરી હતી. અખબારે દાવો કર્યો હતો કે ખશોગીની હત્યાનું કાવતરું અગાઉથી જ બનાવી લેવામાં આવી હતી. નોંધનીય છે કે સાઉદી ક્રાઉન પ્રિન્સના ટીકાકાર રહ્યા છે. 59 વર્ષના ખશોગીની બે ઓક્ટોબરના રોજ ઇસ્તંબુલમાં સાઉદી અરેબિયાના દૂતાવાસમાં હત્યા કરી દીધી હતી અને તેમની લાશના ટૂકડા કરી ફેંકી દીધા હતા.