Ukraine Russia War: યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે ભારતીય નાગરિકોને પરત લાવવા માટે આગામી 3 દિવસમાં 26 ફ્લાઈટ શેડ્યૂલ છે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ જણાવ્યું હતું કે બુકારેસ્ટ અને બુડાપેસ્ટ સિવાય પોલેન્ડ અને સ્લોવાક રિપબ્લિકના એરપોર્ટનો ઉપયોગ ઈવેક્યુએશન ફ્લાઈટ્સ ચલાવવા માટે કરવામાં આવશે.


હર્ષવર્ધન શ્રિંગલાએ કહ્યું કે ભારતીયોને પરત લાવવા માટે એરફોર્સનું સી-17 એરક્રાફ્ટ બુધવારે સવારે 4 વાગ્યે રોમાનિયા જઈ શકે છે. તે જ સમયે, IAF અધિકારીએ માહિતી આપી હતી કે ભારતીય વાયુસેનાનું C-17 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ આવતીકાલે સવારે 4 વાગે દિલ્હી નજીક હિંડોનમાં તેના હોમ બેઝથી રોમાનિયા માટે રવાના થશે.


વિદેશ સચિવે કહ્યું, “જ્યારે અમે અમારી પ્રથમ એડવાઈઝરી જારી કરી હતી, ત્યારે યુક્રેનમાં લગભગ 20,000 ભારતીય વિદ્યાર્થીઓ હતા, ત્યારથી લગભગ 12,000 વિદ્યાર્થીઓ યુક્રેન છોડી ચૂક્યા છે. બાકીના 40% વિદ્યાર્થીઓમાંથી, લગભગ અડધા સંઘર્ષ ક્ષેત્રમાં છે અને અડધા યુક્રેનની પશ્ચિમ સરહદ પર પહોંચી ગયા છે અથવા તેના માર્ગ પર છે.


'કિવમાં આપણા  વધુ નાગરિકો નથી'



હર્ષવર્ધન શ્રિંગલાએ કહ્યું, "આપણા તમામ નાગરિકોએ કિવ છોડી દીધું છે, અમારી પાસે જે માહિતી છે તે મુજબ, કિવમાં આપણા  વધુ કોઈ નાગરિક નથી, ત્યાંથી કોઈએ અમારો સંપર્ક કર્યો નથી."



વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ જણાવ્યું કે- PMએ યુક્રેનથી ભારતીયોને પાછા લાવવા માટે 3 દિવસમાં 26 ફ્લાઈટ્સ મોકલવાનો નિર્ણય કર્યો છે. ભારતીયોને એરલિફ્ટ કરવા માટે બુખારેસ્ટ અને બુડાપેસ્ટ ઉપરાંત પોલેન્ડ અને સ્લોવાકના એરપોર્ટનો પણ ઉપયોગ કરાશે.


વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ જણાવ્યું કે- પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે અમે જ્યારે અમારી પહેલી એડવાઇઝરી જાહેર કરી હતી તે સમયે યુક્રેનમાં લગભગ 20,000 ભારતીય  વિદ્યાર્થીઓ હતા, ત્યારથી લગભગ 12,000 છાત્ર યુક્રેન છોડી ચુક્યા છે. બાકી વધેલા 40% છાત્રોમાંથી લગભગ અડધાં યુદ્ધ વિસ્તારમાં છે અને અડધાં યુક્રેનથી પશ્ચિમી બોર્ડર પહોંચી ગયા છે કે તે તરફ આગળ વધી રહ્યાં છે.