નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધિત વ્યવસ્થાને પોતાને હટાવવા માટે જમાત-ઉદ- દાવા પ્રમુખ હાફિઝ સઇદની  અપીલ ફગાવી દીધી હતી. સરકારી સૂત્રોએ પીટીઆઇને જણાવ્યું કે, સંયુક્ત રાષ્ટ્રે  હાફિઝ સઇદને કહ્યું હતું કે, પ્રતિબંધ યથાવત રાખવા માટે તાર્કિક અને વિશ્વસનીય આધાર સાબિત કરવા માટે યોગ્ય સૂચનાઓ છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે, પાકિસ્તાનને છોડીને ભારત, ફ્રાન્સ, અમેરિકા  અને બ્રિટને  હાફિઝ સઇદની અપીલનો  વિરોધ કર્યો હતો.


આ અગાઉ પાકિસ્તાને છ ફેબ્રુઆરીના રોજ પ્રતિબંધિત સંગઠને વિરુદ્ધ ઝડપી કાર્યવાહી કરતા મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ  હાફિઝ સઇદના સંગઠન જમાત-ઉદ-દાવા અને તેની શાખા ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન સંબંધિત અનેક મદરેસાઓ અને તેમની સંપત્તિને પોતાના કબજામાં લીધી હતી. પાકિસ્તાને જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશનને ઔપચારિક રીતે પ્રતિબંધિત યાદીમાં નાખ્યા હતા ત્યારબાદ આ પ્રતિબંધિત સંગઠનોની સંપત્તિને કબજામાં લેવામાં આવી હતી.