Israel Lebanon War: લેબનાન પર ઇઝરાયેલના હુમલા ચાલુ છે. ઇઝરાયેલી સેનાએ બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં 30 થી વધુ હવાઈ હુમલા કર્યા છે. લેબનીઝ મીડિયાએ આ હુમલાઓને અત્યાર સુધીના સૌથી હિંસક હુમલા ગણાવ્યા છે. ઈઝરાયેલે કહ્યું કે તેણે હિઝબુલ્લાહના હથિયારોના ડેપોને નિશાન બનાવ્યું છે.


ઈઝરાયેલી સેનાએ રવિવારે (6 ઓક્ટોબર) સવારે એક મસ્જિદ પર હવાઈ હુમલો કર્યો હતો. IDF એ દાવો કર્યો હતો કે મસ્જિદ અને શાળાનો ઉપયોગ હમાસ માટે કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર તરીકે કરવામાં આવી રહ્યો છે. આ હવાઈ હુમલામાં 24 લોકોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે.


હિઝબુલ્લાહે કર્યો ઇઝરાયેલી સેના પર હુમલો કરવાનો દાવો 
હિઝબુલ્લાહએ મનારામાં ઇઝરાયલી સૈનિકો પર હુમલાનો દાવો કર્યો છે. હિઝબુલ્લાહનું કહેવું છે કે તેણે રવિવારે ઉત્તર ઇઝરાયેલના મનારામાં ઇઝરાયલી સૈનિકો પર રૉકેટ અને મિસાઇલ વડે ત્રણ હુમલા કર્યા. આ પહેલા હિઝબુલ્લાએ બ્લિદામાં ખાલેત શુએબ દ્વારા લેબનાનમાં ઘુસણખોરીનો પ્રયાસ કરનારા ઈઝરાયલી સૈનિકો પર હુમલો કરવાનો પણ દાવો કર્યો હતો. ત્યારે હિઝબુલ્લાએ કહ્યું હતું કે આ હુમલાઓએ ઇઝરાયલી સૈનિકોને પીછેહઠ કરવા મજબૂર કર્યા છે.


ગાઝા પર પણ ઇઝરાયેલનો હુમલો યથાવત 
સમગ્ર ઉત્તર ગાઝામાં ઈઝરાયેલનો હુમલો ચાલુ છે. ઈઝરાયેલી સેનાએ ઉત્તરી ગાઝાનો મોટો હિસ્સો ખાલી કરવા કહ્યું છે. ઇઝરાયલી સેનાના અરબી પ્રવક્તા અવિચાઇ અદ્રાઇએ પોતાના નિવેદનમાં કહ્યું, "હમાસે આ વિસ્તારમાં આતંકવાદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કર્યું છે. તેઓ અહીંના લોકોનું શોષણ કરી રહ્યા છે. આ સિવાય તેઓ અહીંના લોકોને માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે." ઇઝરાયેલની સેના આતંકવાદી સંગઠનો સામે બળપૂર્વક કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે તેઓ રશીદ સ્ટ્રીટ અને સલાહ અલ-દિન સ્ટ્રીટ તરફ આગળ વધી શકે છે.


અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ પોતાના લોકોને બેરૂતમાંથી બહાર કાઢ્યા 
અમેરિકાએ બેરૂતમાંથી 145 લોકોને બહાર કાઢ્યા છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેના નિવેદનમાં કહ્યું કે તેણે શનિવારે દેશની બહાર આયોજિત બે ફ્લાઇટ્સ દ્વારા 145 લોકોને બેરૂતથી બહાર કાઢવામાં મદદ કરી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "અત્યાર સુધી, અમે 600 થી વધુ યુએસ નાગરિકો, યુએસ કાયદેસર કાયમી રહેવાસીઓ (એલપીઆર) અને તેમના નજીકના પરિવારના સભ્યોને લેબનોન છોડવામાં મદદ કરી છે." આ સિવાય ઓસ્ટ્રેલિયાના વિદેશ વિભાગે કહ્યું કે બેરૂતમાંથી 407 ઓસ્ટ્રેલિયન અને તેમના પરિવારના સભ્યોને બહાર કાઢવામાં આવ્યા છે.


સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની અપીલ 
યૂએનના સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે હમાસના ઑક્ટોબર 7ના હુમલાની વર્ષગાંઠ પર ગાઝામાં રાખવામાં આવેલા તમામ ઇઝરાયેલી અટકાયતીઓની બિનશરતી મુક્તિ માટે હાકલ કરી છે અને આ ક્ષેત્રમાં હિંસાનો અંત લાવવા હાકલ કરી છે.


આ પણ વાંચો


યુદ્ધના ભણકારા: ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની ભારત અને દુનિયા પર શું થશે અસર?