World War 3: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે યુદ્ધનો ડર વધી ગયો છે. તેહરાને હમાસના નેતા ઇસ્માઇલ હનીયેહની હત્યાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે, જેનો દાવો છે કે તે ઇઝરાયેલ પર હવાઈ હુમલો કરશે. લશ્કરી કમાન્ડર ફુઆદ શુકરના મૃત્યુ બાદ તેલ અવીવ લેબનોન સાથેના સંઘર્ષમાં પણ સામેલ છે. તાજેતરમાં ઇઝરાયલના કબજા હેઠળના ગોલાન હાઇટ્સમાં ફૂટબોલ મેદાન પર થયેલા હુમલામાં 12 બાળકોના મોત થયા હતા, જેના કારણે સ્થિતિ વધુ વણસી છે.


હવે આ તણાવ વચ્ચે ભારતીય નાસ્ત્રેદમસ તરીકે જાણીતા જ્યોતિષી કુશલ કુમારે ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત માટે ફરી એકવાર નવી તારીખ આપી છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અને રશિયા-યુક્રેન યુદ્ધની અસરોની વિગતો આપતાં તેમણે જાહેર કર્યું છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ 4 ઓગસ્ટ અથવા 5 ઓગસ્ટે શરૂ થશે.


ભારતીય નાસ્ત્રેદમસે અલાસ્કા નજીક બે રશિયન અને બે ચીની બોમ્બર્સના ઉડ્ડયન, ક્યુબામાં લશ્કરી કવાયત પર ચિંતા વ્યક્ત કરી છે, તે આ યુદ્ધ યુરોપ અને એશિયામાં ફેલાઈ શકે છે અને અન્ય વિનાશક યુદ્ધને ઉત્તેજિત કરી શકે છે. આનો અર્થ એ છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ આવતીકાલે અથવા બીજા દિવસે શરૂ થઈ શકે છે, અને આપણી પાસે તેને રોકવા અથવા તેની તૈયારી કરવા માટે માત્ર થોડા કલાકો બાકી છે.


ત્રીજા વિશ્વ યુદ્ધ સંબંધિત જૂની તારીખો
આ પહેલીવાર નથી જ્યારે કુશલ કુમારે ત્રીજા વિશ્વ યુદ્ધની તારીખની ભવિષ્યવાણી કરી હોય. અગાઉ તેણે જાહેરાત કરી હતી કે વિનાશક યુદ્ધ 18 જૂન, 2024થી શરૂ થશે. પરંતુ તે આગાહી નિષ્ફળ ગઈ. પછી તેણે નવી તારીખની જાહેરાત કરી અને કહ્યું કે ત્રીજું વિશ્વ યુદ્ધ 26 જુલાઈ અથવા 28 જુલાઈએ શરૂ થશે, પરંતુ ભારતીય જ્યોતિષ ફરી એકવાર નિષ્ફળ ગયા. હવે તેઓ નવી તારીખ લઈને આવ્યા છે અને ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆતની તારીખ 4 કે 5 ઓગસ્ટ આપી છે. હવે જોવાનું એ રહે છે કે તેઓ ફરી નિષ્ફળ જાય છે કે કેમ?


કોણ છે કુશલ કુમાર? 
કુશલ કુમાર હરિયાણાના વતની છે અને દાવો કરે છે કે તે એક જ્યોતિષ છે જે વિશ્વની ઘટનાઓની આગાહી કરે છે. તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકપ્રિય છે, જો કે તે ત્રીજા વિશ્વ યુદ્ધની તારીખોની આગાહી કરવામાં બે વાર નિષ્ફળ ગયા છે.


કોણ હતા નાસ્ત્રેદમસ?


ફ્રેન્ચ ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસનો જન્મ 14 ડિસેમ્બર 1503માં થયો હતો. ફ્રેન્ચ જ્યોતિષી નાસ્ત્રેદમસ માત્ર ભવિષ્ય નહતા જોતા પરંતુ તેઓ એક સારા શિક્ષણ અને ડોક્ટર પણ હતા. ડોક્ટર નાસ્ત્રેદમસ પ્લેગ જેવી બીમારીઓની સારવાર કરતા હતા. તેમણે દુનિયાને લગતી ઘણી ભવિષ્યવાણી કરી છે, જેમાંથી ઘણી સાચી પણ સાબીત થઈ છે. તેઓ યુવા હતા ત્યારથી જ તેમણે ભવિષ્યવાણી કરવાની શરૂઆત કરી હતી.