ચીનના વુહાન ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીના એક સંશોધકે દાવો કર્યો છે કે ચીને  જાણી જોઈને આખી દુનિયામાં કોરોના વાયરસ ફેલાવ્યો છે. કોવિડ-19નો ઉપયોગ બાયો વેપન હથિયાર તરીકે કર્યો છે. કારણ કે લોકોને સંક્રમિત કરી શકાય. આ ચીન દ્ધારા દુનિયા વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા Biological Terrorismનો એક ભાગ હતો.






રિસર્ચર ચાઓ શાઓએ કહ્યું હતું કે તેમના સાથીદારોને કોરોના વાયરસના ચાર સ્ટ્રેન આપવામાં આવ્યા હતા. તેઓને કહેવામાં આવ્યું કે ક્યો ટ્રેન વધુ ઝડપથી ફેલાશે. ચાઓ શાઓએ આ ચોંકાવનારો ખુલાસો ઈન્ટરનેશનલ પ્રેસ અસોસિએશનના સભ્ય જેનિફર ઝેંગને આપેલા ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. જેનિફર ચીનમાં જન્મેલ માનવાધિકાર કાર્યકર્તા અને લેખક છે.


26 મિનિટના ઇન્ટરવ્યૂમાં ચાઓ શાઓએ જણાવ્યું હતું કે કેવી રીતે તેમના સાથી રિસર્ચરને તેમના ઉપરના અધિકારીએ તેમના સાથી સંશોધકને કોરોના વાયરસના ચાર સ્ટ્રેન આપ્યા હતા. તેમને કહેવામાં આવ્યું છે આ કોરોના વાયરસના ટેસ્ટ કરીને જણાવો કે આ ચારમાંથી કઇ સ્ટ્રેન વધુ ઝડપથી ફેલાવવાની ક્ષમતા ધરાવે છે. સાથે એ પણ તપાસ કરો કે આ માણસોને કેટલા ઝડપથી બીમાર કરી શકે છે. ચાઓ શાઓએ કહ્યું હતું કે ચીને કોરોના વાયરસનો ઉપયોગ જૈવિક હથિયાર તરીકે કર્યો છે.


વાયરોલોજિસ્ટને મોકલવામાં આવ્યા હતા મિલિટ્રી ગેમ્સમાં


ચાઓએ જણાવ્યું હતું કે તેના ઘણા સાથી 2019થી ગુમ છે. તે સમયે વુહાનમાં મિલિટરી વર્લ્ડ ગેમ્સ યોજાઈ હતી. પાછળથી તેની ટીમના એક સાથીએ ખુલાસો કર્યો કે તેને હોટલોમાં મોકલવામાં આવ્યો હતો જ્યાં અન્ય દેશોના એથ્લેટ્સ રોકાયા હતા. જેથી તેમના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાનું ધ્યાન રાખી શકાય. પરંતુ વાયરોલોજિસ્ટ હાઇજીન ચેક કરતા નથી. ચાઓ શાઓ કહે છે કે તેને શંકા છે કે તેના સાથીઓને ત્યાં વાયરસ ફેલાવવા માટે મોકલવામાં આવ્યા હતા.


આરોગ્યની તપાસ માટે ઉઇગર કેમ્પમાં પણ મોકલવામાં આવ્યા હતા


એપ્રિલ 2020 માં ચાઓ શાઓને શિનજિયાંગ મોકલવામાં આવ્યા જેથી જેલમાં બંધ ઉઇગુરોના સ્વાસ્થ્યની તપાસ કરી શકાય. આ સાથે તેમના રિ-એજ્યુકેશન કેમ્પ્સની પણ તપાસ થઇ શકે.  તેમની તબિયત તપાસ્યા બાદ તેમને જલ્દી મુક્ત કરી શકાય. વાયરસનો અભ્યાસ કરનારા વૈજ્ઞાનિકોને આરોગ્ય તપાસનું કામ સોંપવું ક્યાં યોગ્ય છે? ચાઓને લાગે છે કે તેને એ જોવા માટે મોકલવામાં આવ્યો હતો કે વાયરસ ફેલાઈ રહ્યો છે કે નહી. અથવા તેની મારફતે વાયરસ ફેલાવવામાં આવ્યો હતો


ચાઓ શાઓએ કહ્યું હતું કે ચીને જે કર્યું અને તે બતાવી રહ્યું છે તે એક રહસ્યનો નાનો હિસ્સો છે. આ મહામારીએ આખી દુનિયામાં 70 લાખથી વધુ લોકોનો ભોગ લીધો. ચોંકાવનારી વાત એ છે કે આ અંગે હજુ તપાસ ચાલી રહી છે. વૈજ્ઞાનિકો દવાઓ અને રસી શોધી રહ્યા છે. આ માટે કાયમી ઉકેલ શોધી રહ્યા છીએ.