Wrestlers Protest: રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દેશના ફેમસ કુસ્તીબાજો જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. શનિવારે પ્રિયંકા ગાંધીએ વિરોધ સ્થળ પર પહોંચીને કુસ્તીબાજોને સમર્થન કર્યું  હતું.


કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી શનિવારે (29 એપ્રિલ) સવારે કુસ્તીબાજોની હડતાળને સમર્થન આપવા જંતર-મંતર પહોંચ્યા. કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડા પણ તેમની સાથે હતા. જંતર-મંતર પર કુસ્તીબાજોના ધરણાનો શનિવારે સાતમો દિવસ છે. શુક્રવારે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ FIR નોંધાયા બાદ પણ કુસ્તીબાજોની ધરણા પર  છે.


પ્રિયંકા ગાંધી કુસ્તીબાજોને મળ્યા અન કહ્યું કે, 2 FIR નોંધવામાં આવી છે પરંતુ તેની નકલ મળી નથી. જ્યારે બે એફઆઈઆર નોંધાઈ છે તો કોપી કેમ આપવામાં આવી નથી. કોંગ્રેસ નેતાએ સવાલ ઉઠાવ્યો કે, તપાસ ચાલી રહી છે તો તેમણે હજુ સુધી રાજીનામું કેમ આપ્યું નથી.


તેણે કહ્યું, એવી ઘણી યુવતીઓ છે જેમની સાથે આવું બન્યું છે. હું સમજવા માંગુ છું કે સરકાર તેમને કેમ બચાવી રહી છે. મને વડાપ્રધાન પાસેથી કોઈ આશા નથી. જ્યારે તમે મેડલ લાવ્યા હતા ત્યારે તમારાથી ગૌરવ અનુભવતા હતા ઘરે બોલાવ્યા હતા. હવે કેમ ફોન કરતા નથી. આ માણસ (બ્રિજભૂષણ શરણ સિંહ)ને બચાવવા માટે આટલું બધું કેમ કરવામાં આવી રહ્યું છે.


કેજરીવાલને  મળશે


દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ શનિવારે સાંજે જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેલાડીઓને મળશે. આ પહેલા શુક્રવારે સાંજે દિલ્હી સરકારના બે મંત્રીઓ આતિશી અને સૌરભ ભારદ્વાજે મહિલા ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. દિલ્હી પોલીસે કુસ્તીબાજોને મીટિંગ માટે બોલાવ્યા છે.


બ્રિજભૂષણ શરણ વિરુદ્ધ FIR


શુક્રવારે દિલ્હી પોલીસે રેસલિંગ ફેડરેશનના પ્રમુખ વિરુદ્ધ યૌન ઉત્પીડનના મામલામાં બે FIR નોંધી છે. જેમાં સગીર કુસ્તીબાજની ફરિયાદ પર સિંહ વિરુદ્ધ પોક્સો એક્ટ પણ લગાવવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે જણાવ્યું છે કે, બંને ફરિયાદો પર તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ કુસ્તીબાજોને FIR માટે સુપ્રીમ કોર્ટમાં જવું પડતું હતું.


બ્રિજભૂષણ શરણ સિંહે પોતાના રાજીનામા અંગે જણાવ્યું હતું


FIR નોંધાયા બાદ રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહે રાજીનામાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો ખેલાડીઓ પિકેટિંગ ખતમ કરે અને તેમના રાજીનામાને કારણે ઘરે પરત ફરે તો તેઓ રાજીનામું આપવા તૈયાર છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે તેમનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે અને આગામી ચૂંટણી સાથે તેમનું રાજીનામું આપોઆપ થઈ જશે.