Mahakumbh 2025: મહાકુંભમાં ગંગા સ્નાનનું મળશે સંપૂર્ણ પુણ્ય, ધ્યાનમાં રાખો આ નિયમ

Mahakumbh 2025:: મહાકુંભ 2025માં 6 શાહી સ્નાન થશે. આવી સ્થિતિમાં જો ગૃહસ્થ જીવન જીવતા લોકો ગંગા સ્નાનનું સંપૂર્ણ પુણ્ય પ્રાપ્ત કરવા માંગતા હોવ તો અહીં જાણો કેટલાક ખાસ નિયમો અને માહિતી. જો તમે પણ પ્રયાગરાજના મહાકુંભમાં જઈ રહ્યા છો તો શાહી સ્નાનમાં સાધુ સંતોના સ્નાન બાદ જ ગંગાજીમાં પવિત્ર આસ્થાની ડૂબકી લગાવો. કહેવાય છે કે જો ગૃહસ્થ આ નિયમનું પાલન ન કરે તો તેઓ પુણ્યને બદલે પાપનો ભાગી બને છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સાધુ સંતો કઠોર તપ કરીને અદ્ભુત શક્તિઓ પ્રાપ્ત કરે છે. એવું કહેવાય છે કે મહાકુંભમાં સાધુઓના સ્નાન પછી સામાન્ય લોકો જ્યારે ગંગામાં ડૂબકી લગાવે છે ત્યારે ગૃહસ્થોને પણ સંતો દ્વારા કમાયેલા પુણ્યનો લાભ મળે છે.

ધાર્મિક દૃષ્ટિકોણથી મહાકુંભ દરમિયાન ઓછામાં ઓછા 5 વખત ગંગામાં ડૂબકી લગાવવી જોઈએ.
સ્નાન કરતી વખતે 'ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી, નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ' મંત્રનો જાપ કરો. આ મંત્ર ખૂબ જ શક્તિશાળી છે. એવું માનવામાં આવે છે કે ગંગામાં ડૂબકી મારતી વખતે આ મંત્રનો જાપ કરવાથી અમૃત પ્રાપ્ત થાય છે.
મહાકુંભમાં ગંગા સ્નાન કરતા પહેલા શરીરને પાણીથી સાફ કરો. ગંગાજીમાં સ્નાન કરતી વખતે સાબુનો ઉપયોગ ન કરો, તેનાથી દોષ લાગે છે
મહાકુંભ દરમિયાન ઘાટ પર કપડાં ન ધોવા. પૂજા સામગ્રી નદીમાં ન ફેંકો. ક્યાંય પણ પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરશો નહીં.