Chaitra Aamas 2025: ચૈત્ર માસની અમાસ ક્યારે, પત્તૃ દોષને નિવારવાનો મહત્વનો દિવસ, જાણો વિધિ વિધાન

Chaitra Amavasya 2025: ચૈત્ર મહિનાની અમાવસ્યા ક્યારે છે? આ દિવસે પિતૃ દોષથી છુટકારો મેળવવા માટે યોગ્ય તારીખ અને ઉપાયો નોંધી લો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
Chaitra Amavasya 2025: ચૈત્ર માસની અમાસતિથિ 29 માર્ચ, 2025 શનિવારના રોજ આવી રહી છે. દર વર્ષે ચૈત્ર માસની અમાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે દાનનું ઘણું મહત્વ છે.

અમાસ તિથિ પૂર્વજોને સમર્પિત છે. આ દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા અને તેમની આત્માની શાંતિ માટે તર્પણ અને શ્રાદ્ધ કરવામાં આવે છે
આ દિવસે વિધિ-વિધાન પ્રમાણે પિતૃઓની પૂજા-અર્ચના કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને દાન કાર્ય પણ કરે છે.
જો તમે પણ પિતૃ દોષથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો ચૈત્ર મહિનામાં આવતી અમાવસ્યા તિથિ પર તમારા પૂર્વજોના પિંડ દાન કરો.
ચૈત્ર મહિનાની અમાવસ્યા તિથિએ પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે. તેથી જ ચૈત્ર માસની અમાવાસ્યાનો દિવસ પિતૃઓને સમર્પિત છે.
પિતૃ દોષના કારણે પારિવારિક વિવાદો, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે, લગ્નમાં અવરોધો આવે છે અને સંતાન સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે.