Mahabharat: શું તમે જાણો છો મહાભારતના યુદ્ધમાં દરરોજ લાખો સૈનિકો માટે કોણ બનાવતું હતું ભોજન? આ એક યોદ્ધા માથે હતી જવાબદારી
કુરુક્ષેત્રમાં થયેલા મહાભારત યુદ્ધમાં લગભગ દરેક રાજ્યના રાજાઓ અને તેમની સેનાઓએ ભાગ લીધો હતો. કેટલાક એવા હતા કે જેઓ આ યુદ્ધમાં જવાથી પાછળ રહ્યા. લાખો સૈનિકો દરરોજ સવારથી સાંજ સુધી લડતા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાંજે, યુદ્ધવિરામ પછી, બંને બાજુના લોકો, કૌરવો અને પાડવો, સાથે મળીને રાત્રિભોજન કરતા હતા. આ યુદ્ધમાં એક એવો રાજા હતો જેણે મેદાનમાં નહીં પણ રસોડામાં રહીને સૈનિકોને દરરોજ ખવડાવીને મહત્વની ભૂમિકા ભજવી હતી.
ઉડુપીના રાજા વાસુદેવનો અંદાજ એટલો સચોટ હતો કે લાખો સૈનિકો માટે દરરોજ તૈયાર કરવામાં આવતો ખોરાક ન તો ઓછો પડતો કે ન વધારે. ભોજન શાળામાં સૂર્યોદય થતાંની સાથે જ હજારો રસોઈયાએ ભોજન બનાવવાનું શરૂ કરતા. માત્ર ઉડુપીના રાજા જ ભોજનમાં કેટલું અનાજ અને મસાલાનો ઉપયોગ થશે તેની ગણતરી કરતા હતા.
ઉડુપીના રાજા યુદ્ધમાં કોઈપણ પક્ષ સામે લડવા માંગતા ન હતા, તેથી શ્રી કૃષ્ણની સલાહ પર, તેમણે રસોઈ અને ભોજન પીરસવાની સેવા પસંદ કરી.
એવું માનવામાં આવે છે કે ઉડુપીના રાજાએ પાડવોને ખોરાકની સચોટ ગણતરીનું રહસ્ય કહ્યું હતું.
તેણે કહ્યું કે હું રોજ રાત્રે મગફળી ફોલું છું. તેમાંથી શ્રી કૃષ્ણ જેટલી મગફળી ખાઈ છે તેનાથી મને બીજા દિવસે યુદ્ધમાં મૃત્યુ પામેલા સૈનિકોની સંખ્યાનો ખ્યાલ આવી જતો હતો. તેમની ગણતરી મુજબ 5 મગફળીનો અર્થ 50 હજાર સૈનિકોના મૃત્યુ થાય છે.