દિવ્યા ભારતીની અધૂરી ફિલ્મ પુરી કરનાર આયેશાને મૃત એક્ટ્રેસના આત્મનો કંઇક આવો થયો હતો અનુભવ

વાસ્તવમાં આ કહાની તે બોલીવુડ અભિનેત્રી સાથે જોડાયેલી છે. જેણે માત્ર 19 વર્ષની ઉંમરમાં આટલું સ્ટારડમ હાંસલ કર્યું હતું. આ પ્રાપ્ત કરવા માટે લોકોએ વર્ષો સુધી મહેનત કરવી પડે છે. પરંતુ પછી અચાનક એક દિવસ અભિનેત્રીએ દુનિયાને અલવિદા કહી દીધું. જે પછી ઘણી ફિલ્મોના સેટ પર લોકોએ તેનો આત્મા અનુભવ્યો. જાણો આખી વાત.....
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમે વાત કરી રહ્યા છીએ, અભિનેત્રી દિવ્યા ભારતીની, જેણે 90ના દાયકામાં પોતાની સુંદરતા અને શાનદાર અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા. જેણે વર્ષ 1992માં ફિલ્મ 'વિશ્વાતમા'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને માત્ર થોડા સમયમાં જ સફળતાના શિખરોને સર કર્યાં હતા.

આ પછી, અભિનેત્રી 'દીવાના' અને 'દિલ આશના હૈ' જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી પરંતુ પછી એક દિવસ 5 એપ્રિલ 1993ના રોજ તેનું અવસાન થયું. અભિનેત્રી તેના ઘરની બાલ્કનીમાંથી પડી ગઈ હતી. જેના કારણે તેનું મૃત્યુ થયું હતું.
દિવ્યા ભારતીના મૃત્યુ પછી, ઘણા લોકોએ દાવો કર્યો હતો કે, તેઓએ કેટલીક ફિલ્મોના સેટ પર અભિનેત્રીની આત્માને અનુભવી હતી. આયેશા જુલ્કા પણ તેમાંથી એક છે.
અભિનેત્રીએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, ફિલ્મ 'રંગ'ના પ્રીમિયર દરમિયાન તેમને દિવ્યાનો આત્મા અનુભવ્યો હતો.
આયેશાએ જણાવ્યું કે, ફિલ્મના શૂટિંગ દરમિયાન તે ભારતી અને દિવ્યાની ખૂબ જ નજીકની મિત્ર બની ગઈ હતી. જ્યારે તેમને દિવ્યાના મોતની જાણ થઇ તો થોડા સમય માટે સ્તબ્ધ થઇ ગઇ હતી આ સત્ય સ્વીકારવું સરળ ન હતું. આવી સ્થિતિમાં જ્યારે ફિલ્મ 'રંગ'નું પ્રીમિયર થયું ત્યારે તેની સાથે એક ચોંકાવનારી ઘટના બની.
અભિનેત્રીએ જણાવ્યું કે, પ્રીમિયર દરમિયાન જ્યારે દિવ્યાનો એક સીન સ્ક્રીન પર આવ્યો ત્યારે અચાનક સ્ક્રીન પડી ગઈ. આ જોઈને ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા અને મને પણ લાગ્યું કે દિવ્યા મારી સાથે છે. આ ઘટના પછી હું ઘણા દિવસો સુધી ઊંઘી શકી ન હતી.
દિવ્યાના આકસ્મિક મૃત્યુને કારણે તેની ઘણી ફિલ્મોનું ફરીથી શૂટિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી એક શ્રીદેવી અને અનિલ કપૂરની લાડકી હતી. આ ફિલ્મના સેટ પર પણ ઘણી વિચિત્ર ઘટનાઓ બની હતી.