Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
ડિવોર્સ પછી પણ નથી તૂટી આ અભિનેત્રીઓ, ધરાવે છે લાખો ફોલોઅર્સ
ફિલ્મ અને ટીવીની દુનિયા જેટલી ગ્લેમરસ લાગે છે એટલી અંદરથી પોકળ લાગે છે. એક્ટર્સ પ્રોફેશનલ લાઈફથી લઈને પર્સનલ લાઈફ સુધી સંઘર્ષ કરે છે. કેટલીક ટીવી અભિનેત્રીઓ એવી છે જે છૂટાછેડા પછી પણ ભાંગી નથી, પણ વધુ ફેમસ થઈ ગઈ છે. તે ઘણું કામ કરી રહી છે અને દિવસેને દિવસે સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સ વધી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરશ્મિ દેસાઈ સિરિયલ 'ઉતરન'માં તપસ્યાનું પાત્ર ભજવીને ઘર-ઘર ફેમસ થઈ ગઈ હતી. આ દરમિયાન રશ્મિ તેના કો-સ્ટાર નંદિશ સંધુના પ્રેમમાં પડી ગઈ હતી. બંનેએ વર્ષ 2011માં લગ્ન કર્યા હતા અને બે વર્ષ બાદ બંને અલગ થઈ ગયા હતા. આ પછી રશ્મિ દેસાઈએ 'નાગિન 4'માં પોતાની એક્ટિંગનું ટેલેન્ટ બતાવ્યું હતુ. આ સિવાય તે રિયાલિટી શો 'ઝલક દિખ લા જા', 'નચ બલિયે', 'ફિયર ફેક્ટર', 'ખતરોં કે ખિલાડી'માં જોવા મળી હતી
શ્વેતા તિવારીએ ટીવીની લોકપ્રિય સીરિયલ 'કસૌટી જિંદગી કી'માં પ્રેરણાની ભૂમિકા ભજવી હતી. તે ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. તેણે પહેલા લગ્ન સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક્ટર અને ફિલ્મ પ્રોડ્યુસર રાજા ચૌધરી સાથે કર્યા પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. શ્વેતાને રાજાથી એક પુત્રી પણ હતી, જેનું નામ પલક તિવારી છે. આ પછી શ્વેતા તિવારીએ એક્ટર અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા. આ પણ લાંબો સમય ટકી શક્યા નહીં. આ લગ્નથી શ્વેતાને એક પુત્ર છે જેનું નામ રેયાંશ છે. આજે શ્વેતા તેના બે બાળકો સાથે અલગ રહે છે.
સીરિયલ 'એક વીર કી અરદાસઃ વીરા'માં સ્નેહા વાઘે વીરાની માતાની ભૂમિકા ભજવીને દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. આ દરમિયાન તેને અવિષ્કાર દર્વેકરર સાથે પ્રેમ થયો અને બંનેએ લગ્ન કરી લીધા. તે સમયે સ્નેહા માત્ર 19 વર્ષની હતી. આ લગ્ન લાંબો સમય ન ચાલ્યા અને બંને અલગ થઈ ગયા.
વાહબિઝ દોરાબજીએ સિરિયલ 'પ્યાર કી યે એક કહાની'માં પક્ષીની ભૂમિકા ભજવી હતી. આ દરમિયાન તેને વિવિયન ડીસેના સાથે પ્રેમ થઈ ગયો. બંનેના લગ્ન થઈ ગયા. ત્રણ વર્ષ પછી બંને અલગ થઈ ગયા
જેનિફર વિંગેટને તેની સૌથી લોકપ્રિય સીરિયલ 'બેહદ'થી નવી ઓળખ મળી છે. આ સિરિયલમાં તેણે માયા મલ્હોત્રાનો રોલ કર્યો હતો. આ સીરિયલ એટલી હિટ થઈ કે આ પછી જેનિફરની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ. જેનિફર વિંગેટ અને કરણ સિંહ ગ્રોવરે લગ્ન કર્યા પરંતુ બાદમાં અલગ થઇ ગયા હતા.
દલજીત કૌર ટીવીની લોકપ્રિય સીરિયલ 'ઈસ પ્યાર કો ક્યા નામ દૂન'થી લોકોના દિલમાં વસી ગઈ હતી. આમાં તેણે અંજલિનું પાત્ર ભજવ્યું હતું. દલજીતે શાલીન ભનોટ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના પાંચ વર્ષ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા. તેમને એક પુત્ર પણ છે.