Kangana Ranaut: શું ચિરાગ પાસવાન કંગના રનૌતને ઈગ્નોર કરી રહ્યો છે? ઇન્ટરવ્યુમાં જણાવ્યું કેમ નથી કરી રહ્યો વાત?
ચિરાગ પાસવાન સાથેની તેની તસવીરો અંગે કંગનાએ કહ્યું હતું કે, હું ચિરાગને લાંબા સમયથી ઓળખું છું, તે મારો સારો મિત્ર છે, બીચારાએ એક-બે વાર શું હસાવી, તમે લોકો તો અમારી પાછળ જ પડી ગયા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંગનાએ એમ પણ કહ્યું હતું કે હવે ચિરાગ પાસવાન તેને જોતાં જ પોતાનો રસ્તો બદલી નાખે છે. ઈન્ડિયા ટુડે સાથે વાત કરતી વખતે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને સ્પષ્ટ કર્યું કે કંગનાને જોઈને તેઓ પોતાનો રસ્તો બદલતા નથી. ચિરાગ પાસવાને હસતા હસતા કહ્યું કે, કંગનાએ વાત વાતમાં એમ જ આ નિવેદન આપ્યું છે.
ચિરાગ પાસવાને કહ્યું, જો કોઈ જૂનો મિત્ર તમારી સાથે ગૃહમાં જોડાય છે, તો તે મારા માટે ખુશીની વાત છે. તે પણ સાંસદ છે અને હું પણ સાંસદ છું. અમે બંને એક જ ગઠબંધનમાં છીએ. અમારી જૂની ઓળખ છે.
ખેડૂતો પર કંગના રનૌતના નિવેદન અંગે ચિરાગ પાસવાને કહ્યું, કંગના રનૌતને ઓળખનાર દરેક વ્યક્તિ જાણે છે કે કંગનાને સલાહની જરૂર નથી. તેના શબ્દો એવા છે કે જેનાથી તમે ચર્ચા કરી શકો. મને ખુશી છે કે તે તેના વિચારોને આગળ રાખે છે.
કંગના અને ચિરાગ 2011માં મિલે ના મિલે હમમાં સાથે જોવા મળ્યા હતા. લોકસભા ચૂંટણી 2024 માં જીત નોંધાવ્યા પછી, બંને ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા હતા.