Benefits of Honey: સ્વાસ્થ્યને દુરસ્ત કરવામાં કારગર છે મધ, જાણો 5 અદભૂત ફાયદા
મધ એ મધમાખીઓ દ્વારા ફૂલોના અમૃતમાંથી બનાવેલ પ્રવાહી છે. તે મધમાખીઓ દ્વારા ઘણા તબક્કામાં લાંબી પ્રક્રિયા પછી તૈયાર કરવામાં આવે છે. આયુર્વેદમાં મધને ઔષધીનો દરજ્જો મળ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમે રોજ એકથી બે ચમચી મધ સીધું ખાઈ શકો છો અથવા દૂધમાં ભેળવીને તેનું સેવન કરી શકો છો. આ સિવાય ખાલી પેટે હૂંફાળા પાણી સાથે મધનું સેવન કરવું વજન ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.
કેટલાક લોકો હૂંફાળા પાણી અને મધના મિશ્રણ સાથે લીંબુનું સેવન પણ કરે છે.જે પણ ડિટોક્સ ડ્રિન્કનું કામ કરે છે અને વેઇટ લોસમાં મદદ કરે છે.
ખાંસીની સમસ્યામાં પણ મધ કારગર છે. ઉધરસથી રાહત મેળવવા માટે આ એક અસરકારક ઘરેલું ઉપાય છે. મધમાં હાજર એન્ટીબેક્ટેરિયલ ગુણ ચેપને વધુ વધતા અટકાવે છે, સાથે જ તે કફને પાતળો કરે છે, જેનાથી કફ સરળતાથી બહાર આવે છે. ખાસ કરીને જે લોકો સૂકી ઉધરસથી પરેશાન છે, તેમને મધથી જલ્દી રાહત મળે છે.
મધમાં જરૂરી એન્ટીઓક્સીડેન્ટનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે અને હૃદયને લગતી ઘણી બીમારીઓથી બચાવે છે. આ સિવાય મધનું મુખ્ય કાર્ય શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત થવાને કારણે અનેક પ્રકારના ચેપી રોગોથી બચાવે છે.
ગળાના દુખાવાને દૂર કરવા માટે પણ મધ મદદગાર છે. તેનાથી ખાંસી અને શરદીથી તો રાહત મળે જ છે, પરંતુ જો તમને ગળામાં ખરાશ કે દુખાવાની સમસ્યા હોય તો મધથી રાહત મળે છે.
જો તમે કબજિયાતના દર્દી છો, તો સમજી લો કે તમે બીજા ઘણા રોગોને આમંત્રણ આપી રહ્યા છો. પેટ સંબંધિત ઘણી સમસ્યાઓનું મૂળ કારણ કબજિયાત છે. મધ શરીરમાં ફ્રુક્ટોઝનું શોષણ ઘટાડે છે, જેના કારણે તમે તેનો ઉપયોગ કબજિયાત દૂર કરવા માટે પણ કરી શકો છો. તે કબજિયાતથી રાહત આપવા ઉપરાંત પેટ ફૂલવું અને ગેસની સમસ્યામાં પણ રાહત આપે છે.