Weight loss tips: રાત્રે સૂતા પહેલા આ 6 ફૂડસનું ભૂલથી પણ ન કરો સેવન, નહિતો ચોક્કસ વજન વધશે
આહાર આપણને એનર્જી આપવાનું કામ કરે છે પરતુ ગલત ડાયેટ વેઇટ ગેઇન સહિત અને બીમારીને આમંત્રણ આપે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાતના ખાવામાં પનીર, મીટ, બર્ગર, પિત્ઝાને અવોઇડ કરો,. આ ફૂડમાં કેલેરી વધુ હોય છે. તેને પચવામાં સમય લાગે છે અને ઇનડાઇજેશનની સમસ્યા થાય છે. આ બધું જ આખરે વજન વધવાનું કારણ બને છે.
જો ખાવામાં વધારે તેલ અને મસાલા ભેળવવામાં આવે તો તેનાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. વાસ્તવમાં, ખોરાકમાં વપરાતા વધુ મસાલા એસિડિટી પેટમાં દુખાવો અને એસિડ રિફ્લક્સનું કારણ બને છે. રાત્રે તેનું સેવન કરવાથી ઊંઘ બરાબર નથી થતી.
જો તમે રાત્રે સૂતા પહેલા ચણાના લોટની વાનગીઓ, કાળા ચણા, બ્રોકોલી, રાજમા, ચણા, કોબી અને કોબીજ ખાઓ તો તે પચવામાં સમય લાગે છે. સંપૂર્ણ પાચન ન થવાના કારણે ગેસ્ટ્રિકની સમસ્યા થવા લાગે છે.
તેમાં કોઈ શંકા નથી કે ઉચ્ચ ફાઈબરવાળા ખોરાક આપણા શરીરને લાભ આપે છે. ફાઈબરથી ભરપૂર ખોરાક એટલે કે ફળો, સલાડ, અંકુરિત કઠોળ આપણા શરીરને મજબૂત બનાવે છે. પરંતુ જો તમે તેને નાસ્તામાં ખાઓ છો, તો તે તમારા શરીરને પોષણ આપવાનું કામ કરે છે. જો તમે તેને રાત્રે સૂતા પહેલા ખાઓ છો, તો તે પેટમાં દુખાવોનું કારણ બની શકે છે.
જો કે કોફી ફાયદાકારક છે, પરંતુ તેને રાત્રે પીવું નુકસાનકારક પણ હોઈ શકે છે. વાસ્તવમાં, રાત્રિભોજન પછી તેને પીવાથી નર્વસ સિસ્ટમ પર અસર થાય છે, જે તમને વધુ સજાગ બનાવે છે. આવી સ્થિતિમાં તમારે ઊંઘ ન આવવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે
પ્રાચી જૈનના મતે, રાત્રીના આહારમાં ઘરે રાંધેલા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. રાત્રિભોજનમાં એક વાટકી સૂપ, લીલા રાંધેલા શાકભાજી, અનાજ અને કઠોળનો સમાવેશ થવો જોઈએ જે ઓછી કેલરી સાથે ભોજનને સ્વસ્થ બનાવે છે. વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.Eat, 6 foods, bedtime, cause, weight gain,