Belly Fat: ખૂબ જ અસરકારક છે વેઇટ લોસમાં ચીજ, ફટાફટ ઉતારશે વજન, આ રીતે કરો સેવન
સ્થૂળતા ઘટાડવા માટે લોકો ખૂબ જ પરસેવો પાડે છે, પરંતુ આપણા રસોડામાં કેટલીક એવી વસ્તુઓ છે જેનો નિયમિત ઉપયોગ કરવામાં આવે તો મેદસ્વીતા ઝડપથી ઘટી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોટાભાગના લોકોના પેટની નજીક ચરબી વધે છે. મેદસ્વીતા ઘણી સમસ્યાઓ પણ લાવી શકે છે. જેના કારણે બ્લડ પ્રેશર, બ્લડ શુગર અને હ્રદય રોગની સમસ્યા થઈ શકે છે. સ્થૂળતા ઘટાડવા માટે લોકો ઘણો પરસેવો પાડે છે અને ડાયેટિંગ કરે છે, પરંતુ તેનાથી સ્થૂળતા ઘટશે તેની ખાતરી નથી.
એવામાં કિચનમાં મોજૂદ કેટલીક ચીજો આપને મદદ કરી શકે છે. આ ચીજના ઉપયોગથી માખણની જેમ ચરબી પીગળશે
સરસવના દાણા: સરસવના નાના દાણામાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. તેમાં વિટામિન એ, બી કોમ્પ્લેક્સ, વિટામિન સી, ઘણા ખનિજો, કેલ્શિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ તમામ કામ ચયાપચયને ઝડપી બનાવીને ઉર્જાનું ઉત્પાદન વધારવા માટે કરે છે.
લસણઃ લસણ ખાવાનો સ્વાદ તો વધારે છે પણ પેટની ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે. તેને તમારા ભોજનમાં સામેલ કરીને તમે ઘણા ફાયદા મેળવી શકો છો. લસણમાં જોવા મળતું એલિસિન કમ્પાઉન્ડ મેટાબોલિઝમને ઝડપથી વેગ આપે છે અને ચરબીને ઊર્જામાં રૂપાંતરિત કરવાનું કામ કરે છે.
આદુઃ આદુ અનેક ગુણોથી ભરપૂર છે. તેમાં રહેલા ગુણો પોષક તત્વોને ઝડપથી શોષી લે છે અને મેટાબોલિઝમ વધારે છે. થર્મોજેનેસિસના કારણે આદુ શરીરનું તાપમાન વધારવાનું પણ કામ કરે છે. તેનાથી વધુ કેલરી બર્ન થાય છે અને ભૂખ ઓછી લાગે છે. તે કોલેસ્ટ્રોલ, શુગર અને બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ મદદરૂપ છે.
તજ ખાવાથી મેટાબોલિઝમ ઝડપથી વધે છે અને સુગર લેવલ નીચે આવે છે. આ કારણે ઇન્સ્યુલિનની સંવેદનશીલતા પણ વધે છે. થર્મોજેનિક હોવાને કારણે, તજ શરીરમાં ગરમી વધારવાનું કામ કરે છે, જે ચરબી ઘટાડે છે.
સવારે ઉઠ્યા બાદ એક ગ્લાસ નવશેકું પાણી લો, તેમાં તજ પાવડર અને આદુ નાખીને તેનું સેવન કરો. આ પછી શાકભાજીમાં આદુ અને લસણ ઉમેરો. સરસવનો ઉપયોગ સલાડ, અથાણું, ચટણીમાં કરી શકાય છે. તમે તેને મસાલા બનાવીને શાકભાજીમાં પણ વાપરી શકો છો. આ રીતે ડાયટમાં આ મસાલાના ઉપયોગ કરવામાં આવે તો વેઇટ લોસમાં મદદ મળે છે.