Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Health Tips: ગોળ અને ચણાનું શું છે ખાસ કોમ્બિનેશન, જાણો લોકો કેમ છે ખાવાની ભલામણ
ગોળ અને ચણા બંને પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે. ચણામાં વધુ માત્રામાં ફાઈબર જોવા મળે છે, જે આંતરડાની હિલચાલ વધારીને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે. ગોળ કુદરતી રીતે હળવો રેચક છે જે પાચનતંત્રને શાંત કરવામાં મદદરૂપ છે. આ ઉપરાંત ચણામાં મળતા એમિનો એસિડ અને ગોળમાં હાજર પ્રીબાયોટીક્સ પણ પાચન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. તેથી, ગોળ અને ચણા ખાવાથી પાચનતંત્રને લગતી સમસ્યાઓમાં રાહત મળે છે અને પાચનક્રિયા સુધરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગોળ અને ચણા બંનેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવા ખનિજો મળી આવે છે જે હાડકા માટે ખૂબ જ જરૂરી છે.
ગોળમાં આયર્ન અને ફોલિક એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે હિમોગ્લોબિન બનાવવા અને લોહીને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે.
ચણામાં વિટામિન B12, ફોલિક એસિડ અને આયર્ન હોય છે, જે એનિમિયા જેવી સમસ્યાને દૂર કરે છે. ચણાનું નિયમિત સેવન કરવાથી હિમોગ્લોબિનનું સ્તર વધે છે.
ગોળમાં ગ્લુકોઝ હોય છે જે મગજને ઉર્જા પ્રદાન કરે છે અને બૌદ્ધિક ક્ષમતાઓને વધારે છે. ચણામાં જોવા મળતા વિટામિન બી કોમ્પ્લેક્સ અને મેગ્નેશિયમ મગજના કોષોના વિકાસમાં મદદરૂપ થાય છે. ગોળ અને ચણાનો કોમ્બો પણ તણાવ ઓછો કરવામાં મદદ કરે છે.
ચણામાં ઉચ્ચ ફાઈબર હોય છે જે પેટ ભરેલું રાખીને ભૂખ ઓછી કરે છે. ફાઈબર પાચન પ્રક્રિયાને ધીમી કરીને વજન નિયંત્રણમાં મદદ કરે છે.ગોળ એ કેલરીનો ઓછો સ્ત્રોત છે પરંતુ એનર્જી આપે છે. તેનાથી ભૂખ નિયંત્રણમાં રહે છે.