50 વર્ષની ઉંમર બાદ પણ આ પેન્શન યોજનાનાનો લઇ શકાય છે લાભ? જાણો શું છે નિયમો

નિયમો અનુસાર, પેન્શન મેળવવા માટે, વ્યક્તિએ ઓછામાં ઓછા 20 વર્ષ સુધી યોગદાન આપવું પડે છે. તે પછી, પેન્શન 60 વર્ષની ઉંમરથી શરૂ થાય છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે, અટલ પેન્શન યોજના અંગેના નિયમો શું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અટલ પેન્શન યોજના એ 2015માં ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક યોજના હતી, જે હેઠળ સરકાર 60 વર્ષની ઉંમર પછી લાચાર અને બેરોજગાર લોકોને દર મહિને પેન્શન આપે છે.

તે 18-40 વર્ષની વયના નાગરિકો માટે ઉપલબ્ધ છે. જે લોકો પહેલાથી જ અન્ય પેન્શન યોજનાઓનો લાભ લઈ રહ્યા છે તેઓ આ યોજના માટે પાત્ર નથી.
હવે સવાલ એ થાય છે કે શું 50 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો પણ આ યોજના માટે પાત્ર છે?
તમને જણાવી દઈએ કે, 50 વર્ષ કે તેથી વધુ ઉંમરનો કોઈ પણ વ્યક્તિ અટલ પેન્શન યોજનામાં જોડાઈ શકે નહીં.
કારણ કે નિયમો અનુસાર પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછા 20 વર્ષ સુધી યોગદાન આપવું પડે છે, ત્યારબાદ 60 વર્ષની ઉંમરથી પેન્શન શરૂ થાય છે.
આવી સ્થિતિમાં, જો 50 વર્ષની વયના લોકો આ માટે નોંધણી કરાવે છે, તો યોગદાન ફક્ત 10 વર્ષ માટે જ રહેશે.
જો તમારી ઉંમર 50 વર્ષથી વધુ છે અને તમે પેન્શન સ્કીમનો લાભ મેળવવા માંગતા હો, તો તમે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અથવા અન્ય ખાનગી પેન્શન સ્કીમ જેવા અન્ય વિકલ્પો પર વિચાર કરી શકો છો.