Cyclone Tauktae: સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં છકડામાં ખીચોખીચ ભરીને લઈ લોકોનું કરાયું સ્થળાંતર, જુઓ તસવીરો
વાવાઝોડું અમરેલી જિલ્લાના દરિયાકાંઠે ટકરાય તે પહેલા તંત્ર દ્વારા સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠા પર રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંભવિત તૌક્તે વાવાઝોડાને લઈ પીપળીકાંઠા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરાયું છે. લોકો નાના બાળકો સહિત હાથમાં પ્લાસ્ટીકના થેલામાં માલ સામાન લઈને જતાં જોવા મળ્યા હતા.
તમામ લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરીને જાફરાબાદ અને રાજુલાના ગામોમાં કર્ફ્યુ લાદવામાં આવશે. દરિયાકાંઠાથી 200 મીટરનો વિસ્તાર ઉપર જરૂરી કામગીરી સિવાય પ્રતિબંધ લગાવાયો છે.
વાવાઝોડાના પગલે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં 17 અને 18 તારીખે ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
18 મે સુધી પવનની ગતિ 150-160 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધવાના આસાર છે, જ્યારે થોડાક સમય માટે હવાની ગતિ 175 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે.