શું આપ ફ્રિજમાં ફળો રાખો છો? તો તેના નુકસાન જાણી લો, શરીર પર થાય છે આવી વિપરિત અસર
લીચીને પણ ક્યારેય ફ્રિજમાં ન રાખવી જોઇએ. ફ્રિજમાં લીચી રાખવાથી તેની બહારની સાઇડ તો બરાબર જ રહે છે પરંતુ અંદરનો પલ્પ ખરા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસફરજનમાં એક્ટિવ એન્જાઇમ્સ હોવાથી તે ઝડપથી પાકી જાય છે. આ કારણે તેને ફ્રિજમાં ન રાખવા જોઇએ. જો લાંબો સમય માટે રાખવાના હોય તો કાગળમાં લપેટીને રાખી શકાય છે. ઉપરાંત બીજ વાળા ફળોને પણ ફ્રિજમાં રાખવનું શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઇએ.
કેળા એવું ફળ છે, જેને ફ્રિજમાં ક્યારેય ન રાખવા જોઇએ. કેળાં ફ્રિજમાં રાખવાથી ઝડપથી કાળાં પડી જાય છે. કેળાના ડંઠલમાંથી ઇથાઇલીન ગેસ નીકળે છે. જે બીજા ફળોને પણ ઝડપથી પકવી દે છે. જેથી કેળાને બીજા ફળોથી દૂર અને ફ્રિજમાં ન રાખવા જોઇએ.
કેરીને પણ ક્યારેય ફ્રિજમાં ન રાખવી જોઇએ. આવું કરવાથી કેરીમાં મોજૂદ એન્ટીઓક્સિડન્ટ ઓછું થઇ જાય છે અને અન્ય પોષક તત્વો પણ નષ્ટ થઇ જાય છે. કેટલાક વખત કેરી કર્બાઇડથી પકાવેલી હોય છે. જેને ફ્રિજમાં રાખવાથી તે પાણી સાથે મળીને કેરીને ખરાબ કરી દે છે.
ગરમીની સિઝનમાં લોકો તરબૂચ ભરપૂર પ્રમાણમાં ખાય છે. મોટું ફળ હોવાથી લોકો કાપીને ફ્રિજમાં રાખી દે છે. ફ્રિજમાં રાખવાથી તેના એન્ટીઓક્સિડન્ટ ખરાબ થઇ જાય છે. હાં, ખાવાના થોડા સમય પહેલા તેને ફ્રિજમાં રાખી શકાય.