PM Modi Cabinet Expansion: PM મોદીએ તેમની પાસે કયા ખાતા રાખ્યા ? જાણો કયા મંત્રીને કયા ખાતાની કરી ફાળવણી
મોદી સરકાર બીજી વખત સત્તામાં આવી તે બાદ પહેલી વખત મંત્રીમંડળમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. મોદી સરકારની કેબિનેટનું બુધવારે વિસ્તરણ કરવામાં આવ્યું હતું, જેમાં અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાયા હતા જ્યારે નવા ચેહરાને સ્થાન અપાયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકર્મચારી અને પેન્શન, પબ્લિક ગ્રેવિએંસ, એટમિક એનર્જી, અંતરીક્ષ વિભાગ, પોલિસી, મંત્રીઓને ન ફાળવેલ દરેક પોર્ટફોલિયો
ગૃહમંત્રી અમિત શાહને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેશન એટલે કે સહકારિતા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.
આજે શપથ લેનારા ગુજરાતના સાંસદ મનસુખ માંડવિયાને સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર મંત્રાલયનો વધારાનો હવાલો પણ સંભાળશે.
કોગ્રેસમાંથી ભાજપમાં આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને નાગરિક ઉડ્ડયન મંત્રાલય સોંપવામાં આવ્યું છે.
દર્શના જરદોષને રાજ્ય કક્ષાના ટેક્સટાઈલ અને રેલવે મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે.
દેવુસિંહ ચૌહાણને મિનિસ્ટર ઓફ સ્ટેટ ઈન ધ મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન સોંપવામાં આવ્યું છે.
ડો, મહેન્દ્રભાઈ મુંજપરાને રાજ્યકક્ષાના મહિલા, બાળ વિકાસ અને આયુષ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.
અશ્વિનિ વૈષ્ણવ હવે દેશના નવા રેલવે મંત્રી હશે. તેમણે આઇટી મંત્રીનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે. પ્રધાનને સ્કિલ ડેવલપમેન્ટ મંત્રાલયની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.