Asia Cup 2023: એશિયા કપમાં ટીમ ઈન્ડિયા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે જાડેજા, વાંચો શું છે કારણ
એશિયા કપ 2023 31 ઓગસ્ટથી શરૂ થશે. આ વખતે ટુર્નામેન્ટનું આયોજન હાઇબ્રિડ મોડલ હેઠળ કરવામાં આવી રહ્યું છે. તેની કેટલીક મેચો પાકિસ્તાનમાં અને બાકીની શ્રીલંકામાં યોજાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે મેચ રમાશે. રવિન્દ્ર જાડેજા આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાડેજાનો અત્યાર સુધી સારો રેકોર્ડ રહ્યો છે. તેણે એશિયા કપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. જાડેજાએ એશિયા કપની ODI ફોર્મેટની 14 મેચમાં 19 વિકેટ ઝડપી છે. વર્તમાન ભારતીય ખેલાડીઓની યાદીમાં તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.
જાડેજાનું ઓવર ઓલ પ્રદર્શન અસરકારક રહ્યું છે. તેણે અત્યાર સુધી રમાયેલી 118 વનડે ઇનિંગ્સમાં 2526 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 13 અડધી સદી ફટકારી છે. જાડેજાએ આ ફોર્મેટમાં 191 વિકેટ લીધી છે. એક મેચમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 36 રનમાં 5 વિકેટ લેવાનું રહ્યું છે.
એશિયા કપ 2023માં જાડેજા ટીમ ઈન્ડિયા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. જો તેને ટીમમાં સ્થાન મળશે તો તે સારું પ્રદર્શન કરી શકશે. જાડેજા ફોર્મમાં છે અને તેણે ઘણી મોટી મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જાડેજાએ પાકિસ્તાન સામે પણ સારો દેખાવ કર્યો છે.
નોંધનીય છે કે એશિયા કપ 2023નું શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. એશિયા કપની શરૂઆત પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાનારી મેચથી થશે. આ મેચ 30 ઓગસ્ટે પાકિસ્તાનમાં રમાશે. ટુર્નામેન્ટમાં ભારતનું અભિયાન 2 સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારત પોતાની પ્રથમ મેચમાં જ પાકિસ્તાન સામે ટકરાશે.