✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મનોહરસિંહજી ‘દાદા’એ 1957માં ગુજરાત સામે રણજીમાં કેટલા રન ફટકાર્યા હતાં, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Sep 2018 11:33 AM (IST)
1

રાજકોટ: રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાનું 83 વર્ષની ઉંમરે ગુરૂવારે રાજકોટમાં જ તેના નિવાસસ્થાન રણજીત વિલાસ પેલેસ ખાતે સાંજે નિધન થયું હતું. જેમની આજે અંતિમયાત્રા નીકળી હતી. આ યાત્રામાં રાજવી પરિવાર સહિતના લોકો જોડાયા હતા. જોકે ક્રિકેટની રમતમાં સૌરાષ્ટ્રના રાજવી પરિવારોનું પણ ખૂબ જ યોગદાન રહ્યું છે.

2

મનોહરસિંહજી એક આતુર ક્રિકેટર હતા. 1955-56માં રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર માટે ગુજરાત સામે મનોહરસિંહજીએ પ્રથમ શ્રેણીની શરૂઆત કરી હતી. તેમણે પહેલી ઇનિંગમાં 59 રન ફટકાર્યા હતાં.

3

14 ફર્સ્ટ કલાસ મેચમાં દાદાએ એક શતક અને 4 અર્ધ શતકની મદદથી કુલ 614 રન કર્યા હતા. બોલિંગમાં પણ તેમણે પાંચ વિકેટ મેળવી છે.

4

જમણોરી બેટ્સમેન અને બોલર એવા દાદાએ 1957/58માં સૌરાષ્ટ્ર ટીમના કપ્તાન તરીકે ટીમનું સુકાન સંભાળ્યું હતું. દાદાએ તેમની કપ્તાની હેઠળ 1957માં રમાયેલી ગુજરાત સામેની ફર્સ્ટ કલાસ મેચમાં શાનદાર 144 રન ફટકાર્યા હતા.

5

નવાગઢ, કાઠિયાવાડ અને બાદમાં સૌરાષ્ટ્ર તરીકે ક્રિકેટમાં ઉતરતી ટીમમાં અનેક રાજાઓએ ઉમદા પ્રદર્શન કર્યું છે. આવા જ એક રાજ પરિવારના ક્રિકેટર હતા રાજકોટના ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજા. દાદાના ઉપનામથી ઓળખાતા મનોહરસિંહજીએ સૌરાષ્ટ્રની ટીમ વતી 1955થી 1964 સુધીમાં 14 ફર્સ્ટ કલાસ મેચ રમ્યાં છે.

  • હોમ
  • રાજકોટ
  • મનોહરસિંહજી ‘દાદા’એ 1957માં ગુજરાત સામે રણજીમાં કેટલા રન ફટકાર્યા હતાં, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.