✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કાગવડમાં ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે 108 કરોડનો વીમો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Jan 2017 10:54 AM (IST)
1

ઉત્સવ દરમિયાન સમિયાણા, ડોમ, રસોઇઘર વગેરે માટે 3 કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે. આ રીતે મંદિર પરિસર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સ્થળ મળીને કુલ 108 કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે.

2

મહોત્સવ દરમિયાન સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. તે સિવાય ફાયર ફાઇટર, પોલીસ પણ તૈનાત કરવામાં આવશે. ખોડલધામ મંદિર પરિસર માટે ખોડલધામ ટ્રસ્ટ દ્ધારા 100 કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે. જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ માટે પબ્લિક વીમો પાંચ કરોડ રૂપિયાનો લેવામાં આવ્યો છે.

3

વશરામભાઇના કહેવા પ્રમાણે, અહીં એક કલાકમાં 2.25 લાખ લોકો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા કરાઇ છે. ઉપરાંત સેવા આપતા સ્વયંસેવકો માટે ભોજન લેવા અલગ વ્યવસ્થા કરાઈ છે.

4

આ અંગે સરકારી પરવાનગી અને ફાયર ફાઇટર સમિતિના અશ્વિન પાંભર અને અતુલ રૂપારેલીયાએ જણાવ્યુ હતું કે, 17 જાન્યુઆરીએ સૌરાષ્ટ્રના 8 જિલ્લામાંથી શોભાયાત્રાનો આરંભ થશે.

5

રાજકોટઃ રાજકોટના જેતપુર નજીક કાગવડ ગામ ખાતે લેઉવા પટેલની એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરનું નિર્માણ થઇ ગયું છે. આગામી 17 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલશે. આ દરમિયાન દરરોજ લાખોની સંખ્યામાં લોકો ખોડલ માતાજીના દર્શન કરવા આવશે. આ દરમિયાન કોઇ અનિષ્છનીય ઘટના બને તો વળતર માટે કરોડો રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે.

6

ભોજન વ્યવસ્થા સમિતિના ગોપાલભાઈ રૂપાપરાના કહેવા પ્રમાણે, અહીં 210 બાય 240 ફૂટમાં રસોઈ ઘર બનાવવામાં આવ્યું છે. એમાં રસોઈ બનાવવા માટે 48 ચુલા બનાવાયા છે અને રસોઈ ઘરમાં વાસણ સાફ કરવા માટે પાણીની બે મોટી ચોકડી અને 30 નાની ચોકડી બનાવવામાં આવી છે.

7

પાંચ દિવસ સુધી ચાલનારા મહોત્સવ દરમિયાન ભાવિક ભક્તોના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવશે. 48 વિઘામાં ભોજન શાળા ઉભી કરવામાં આવી રહી છે. ખોડલધામ આવતા લોકો માટે 17 થી 20મી જાન્યુઆરી ચાર દિવસ સુધી દરરોજ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે.

  • હોમ
  • રાજકોટ
  • કાગવડમાં ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે 108 કરોડનો વીમો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.