✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજકોટઃ સગીરાને બે મહિના સુધી ગોંધી રાખી પોલીસ કોન્સ્ટેબલે ગુજાર્યો બળાત્કાર, કેવી રીતે થયો પર્દાફાશ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Oct 2017 02:56 PM (IST)
1

તપાસ દરમિયાન સગીરા ક્વાર્ટરમાંથી મળી આવતાં જેના નામે ક્વાર્ટર હતું તે રામજીભાઈ ડાભી અને સગીરાને પોલીસ સ્ટેશન લવાયા હતા. અહીં સગીરાએ તેનું અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યો હોવાનું નિવેદન આપતાં કોન્સ્ટેબલ સામે અપહરણ, બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

2

દીકરીની ભાળ મળતાં સગીરાના પિતાએ પોલીસને જાણ કરી હતી અને તેમને સાથે રાખી તપાસ કરતાં સગીરા મળી આવી હતી. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ગત આઠમાં મહિનામાં શહેરના ભુવનેશ્વર વાડીમાંથી સગીરા ગુમ થઈ હતી. ગઈ કાલે આ સગીરા છત્રપતિ ટાઉનશિપમાં આવેલા પોલીસ ક્વાર્ટરમાં એક છોકરી હોવાનો કોલ મળતાં ત્યાં તપાસ કરવામાં આવી હતી.

3

રાજકોટઃ લોકોના રક્ષક ગણાતાં પોલીસ કર્મચારીએ શહેરની એક સગીરાનું અપહરણ કરીને બળાત્કાર ગુજારતાં સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ કોન્સ્ટેબલ સામે બળાત્કારની ફરિયાદ થતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. હાલ પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

4

સગીરાના પિતાએ જણાવ્યું હતું કે, આ પછી તેને દુધઈ ગામ અને પછી રેલનગરલમાં લઈ ગયો હતો. અહીં પણ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ગત પુનમની રાતે પાડોશીનો છોકરો ગરબીમાં ગયો હતો. જ્યાં તે મારી દીકરીને જોઇ જતાં તેણે રાતે જ અમને જાણ કરી હતી.

5

આ અંગે સગીરાના પિતાએ એબીપી અસ્મિતા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, તેમની દીકરીનું 40 દિવસ પહેલા કોન્સ્ટેબલ રામજી મોહનભાઈ ડાભી ઉઠાવી ગયો હતો. દીકરીને પહેલા જુબેલીની હોટલમાં લઈ ગયો હતો અને અહીં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

6

પોલીસે જણાવ્યું હતું કે, હાલ બંનેના મેડિકલ ચેકઅપ માટેના કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ પાસેથી જાણવા મળ્યું છે કે, સગીરાને કોન્સ્ટેબલ દ્વારા પહેલા રાજકોટ બહાર રાખવામાં આવી હતી. સગીરા કોન્સ્ટેબલના ઘરમાંથી મળી આવતાં પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધવામાં આવી છે. કોન્સ્ટેબલે સગીરાનું અપહરણ કર્યા પછી બે મહિના સુધી ક્યાં ક્યાં રાખી હતી, તે જાણવા માટે પોલીસ તેને કોર્ટમાં રજૂ કરશે અને તેના રિમાન્ડ મેળવશે.

7

આ અંગેની વિગતો એવી છે કે, બે મહિના પહેલા રાજકોટના હેડક્વાર્ટરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રામજી મોહનભાઈ ડાભીએ બે મહિના પહેલા સગીરાનું અપહરણ કર્યું હતું અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. બે દિવસ પહેલાં સગીરાને પાડોશીનો છોકરો જોઇ જતાં તેમણે સગીરાના પરિવારને જાણ કરતાં કોન્સ્ટેબલ પકડાઇ ગયો હતો.

  • હોમ
  • રાજકોટ
  • રાજકોટઃ સગીરાને બે મહિના સુધી ગોંધી રાખી પોલીસ કોન્સ્ટેબલે ગુજાર્યો બળાત્કાર, કેવી રીતે થયો પર્દાફાશ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.