સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા એવા રાજકોટના મેળાને અપાયું શું નામ ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Aug 2018 04:56 PM (IST)
1
રાજકોટઃ શ્રાવણ મહિના દરમિયાન રાજકોટમાં યોજાતા લોકમેળાનું નામ બદલી દેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું નામ બદલીને ગોરસ લોક મેળો કરી દેવામાં આવ્યું છે. આ લોકમેળાનું નામ નક્કી કરવાને લઇને 700થી વધુ નામો આવ્યા હતા.
2
આ લોક મેળાના નામ માટે રંગીલો, ગોકુળીયો, ગોકુલ, ગોરસ સહિત 700 થી વધુ નામ આવ્યા હતા જેમાંથી ગોરસ નામની પસંદગી કરવામાં આવી છે. આ મેળો એક સપ્ટેમ્બરથી પાંચ સપ્ટેમ્બર સુધી પાંચ દિવસ સુધી ચાલશે.