આજથી સૌરાષ્ટ્ર ખોડલમય: રાજકોટથી માં ખોડલની શોભયાત્રા કાગવડ જવા રવાના
રાજકોટથી નીકળનારી ભવ્ય શોભાયાત્રાની સોમવારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. મંગળવારે રેસકોર્સ મેદાનથી ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ ફ્લેગ હોસ્પિટંગ કરીને શોભાયાત્રાને પ્રસ્થાન કરાવી. રાજકોટથી કાગવડ સુધીના હાઈવેના રૂટમાં ૧૭ સ્થળે શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવશે.
દરેક સમાજના ૪૦૦થી ૫૦૦ લોકો એક-એક પોઈન્ટ પર મહાશોભાયાત્રાનં સ્વાગત કરશે.શોભાયાત્રામાં ખોડલધામના પરિભ્રમણ કરી રહેલા બે રથ હશે અને પછી મુખ્ય રથ હશે. મુખ્યરથ પાછળ ૭૦૦ બૂલેટ, ડીજે, ૫૦૦ કાર અને ૫૦૦થી વધુ બાઈકનો કાફલો જોડાશે.
ખોડલધામ મહોત્સવની મંગળવારે યોજાનાર શોભાયાત્રાને લઈ જિલ્લા પોલીસ વડા અંતરીપ સુદે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં રાજકોટથી કાગવડ જતો નેશનલ હાઇવે વનવે કરવામાં આવશે. ૧૭થી ૨૧ જાન્યુઆરી સુધી ખોડલધામ જતા અને આવતા ભાવિકો પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવશે નહીં તેવો પણ ઉલ્લેખ કરાયો છે.
19 જાન્યુઆરી: સવારે 8 થી 12 અને બપોરે 2 થી 5 સુધી 21 કુંડનો મહાહવન તેમજ સથવારો રાધેશ્યામનો કાર્યક્રમ.
20 જાન્યુઆરી: ભારતીય ઉત્સવો તેમજ વિવિધ ક્ષેત્રે પટેલ જ્ઞાતિએ આપેલા યોગદાનને ઉજાગર કરતો ડ્રામા અને ઓડિયો વિઝ્યૂઅલ કાર્યક્રમ.
21 જાન્યુઆરી: સવારે 5.30થી 6.30 પ્રાણપ્રતિષ્ઠા વિધિ, 21 મહાઆરતી, ગરબા અને સમૂહ રાષ્ટ્રગાન બાદ મહા ધર્મસભાનું આયોજન.
ખોડલધામ આવતાં શ્રદ્ધાળુઓ માટે પાંચ હેલિપેડ બનાવવામાં આવ્યા છે. જે પૈકી ખંભાલીડા પાસે જિલ્લા કલેક્ટર હસ્તકના હેલિપેડથી મંદિરનું અંતર 3 કિમીનું છે. આ હેલિપેડનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. અન્ય ત્રણ હેલિપેડ મંદિર નજીક જલારામ ટ્રસ્ટની જગ્યામાં બનાવવામાં આવ્યા છે. હેલિપેડથી મંદિર સુધી ખાસ કાચો રસ્તો બનાવવામાં આવ્યો છે. પાંચમું હેલિપેડ મંદિરની પાછળ બનાવાયું છે પરંતુ હેલિકોપ્ટરના લેન્ડીંગ વખતે ધૂળ ઊડવાની સમસ્યાને લઈને તેનો ઉપયોગ કરવાનું ટાળવામાં આવ્યું છે.
ખોડલધામ મંદિરે પાંચ દિવસ સુધી અલગ-અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. તમામ કાર્યક્રમો સાંજના 6 સુધીમાં પૂરા કરી લેવામાં આવશે. લોકડાયરો પણ બપોરના સમયે રાખવામાં આવ્યો છે. કાર્યક્રમનું સ્થળ અને સુરક્ષાની દૃષ્ટિને નજર સમક્ષ રાખીને સાંજના 6 વાગ્યા બાદ કોઈપણ કાર્યક્રમ કરવામાં આવશે નહીં. સુરક્ષામાં રખાયેલા સ્વયંસેવકો અને અન્ય આગેવાનો જ રાત્રિ દરમિયાન ખોડલધામ સંકુલમાં રહેશે.
21 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવ્યો છે. પાંચ દિવસ દરમિયાન 50 લાખથી વધુ શ્રધ્ધાળુઓ ખોડિયાર માતાજીના દર્શને આવે તેવી સંભાવના છે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના દિવસે શાસ્ત્રોક્ત વિધિથી માતાજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી રહી હશે ત્યારે હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવશે. આ માટે કેટલાક હેલિકોપ્ટર પણ ભાડેથી રાખવામાં આવ્યા છે. આ કાર્યક્રમનું પણ ટેસ્ટીગ કરી લેવામાં આવ્યું છે.
18 જાન્યુઆરી: સવારે 8 થી 12 અને બપોરે 2 થી 5 સુધી 21 કુંડનો મહાહવન, બપોરે 12 થી 5 સુધી લોકડાયરો. જેમાં ભીખુદાન ગઢવી, કિર્તિદાન ગઢવી, અલ્પા પટેલ, ઉર્વશી રાદડિયા સહિતના કલાકારો હાજર રહેશે.
રાજકોટઃ આજથી કાગવડ ખાતે ખોડલધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સ્વનો પ્રારંભ થઈરહ્યો છે. જેના ભાગ રૂપે આજે સવારે રાજકોટ ખાતેથી માં ખોડલની શોભાયાત્રા કાગવડ જવાના રવાના થઈ. આ શોભાયાત્રા 40 કિલોમીટર લાંબી હશે. શોભાયાત્રામાં મોટીસંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે.