રાજકોટઃ પત્નીને અન્ય સાથે સેક્સ સંબંધ હોવાથી હત્યા કરનારો યુવક પેરોલ પર બહાર આવ્યો ને શું થયું ? જાણો વિગત
સફેદ કલરની સ્વીફ્ટ કારમાં લાશ મુકી હત્યારાઓ ફરાર થઇ ગયા હતા. બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પત્ની રાધિકાના હત્યા કેસમાં રવિ જેલવાસ ભોગવતો હતો અને હાલમાં 10 દિવસના પેરોલ પર બહાર આવ્યો હતો.
રવિ પકડાયો ત્યારે પોલીસ સમક્ષ એવી કબૂલાત આપી હતી કે પત્ની રાધિકાને અન્ય સાથે લફરું હતું. આથી ચોટીલા જતી વખતે બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં ઉશ્કેરાઇને પત્નીને છરીના ઘા ઝીંકી પતાવી દીધી હતી.
નવેમ્બર 2016માં ચોટીલા પાસે બલદેવ હોટલ નજીક રવિએ પોતાની પત્ની રાધિકાની હત્યા કરી હતી. પોલીસે રવિને તેના ગુરૂના ઘરેથી દબોચી લીધો હતો. રવિ થોડા દિવસ પેરોલ પર બહાર આવ્યો હતો. બહેનનો બદલો લેવા રાધિકાના ભાઇઓ પ્રશાંત અને ઋષિએ તકનો લાભ લઇ અપહરણ કરી રવિની હત્યા નીપજાવી હતી.
રાજકોટ: રાજકોટના રાધિકા હત્યા કેસના આરોપી રવિની હત્યા થતા ચક્ચાર મચી જવા પામી છે. બંને સાળાઓએ બહેનની હત્યાનો બદલો લેવા માટે સાગરીત સાથે મળી બનેવીનું અપહરણ કર્યા બાદ છરીના ઘા મારી હત્યા કરી હતી.
હત્યારા બંને સાળાઓ પ્રશાંત અને ઋષિએ તેના એક સાગરિત સાથે મળી પહેલા રવિનું અપહરણ કરી અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા. જ્યાં છરીના ઘા ઝીંકી રવિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. 3 આરોપીઓ પૈકી એક આરોપીની પોલીસે ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. હત્યા પાછળ પ્રેમપ્રકરણ કારણભૂત હોવાનું જાણવા મળી રહ્યું છે.