આફ્રિદી બાદ વધુ એક પાકિસ્તાની ક્રિકેટરે કાશ્મીર રાગ આલાપ્યો, કહ્યું- સલમાનની જેમ હું પણ કાશ્મીરની મુક્તિ ઈચ્છુ છું
સલમાન ખાનને કાળિયારના શિકારના કેસમાં જોધપુરની કોર્ટે જામીન આપતા પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે વિવાદાસ્પદ ટ્વિટ કરીને લખ્યું કે, ''આખરે નામદાર કોર્ટે સલમાનને જામીન આપ્યા છે. હું મારા જીવનકાળ દરમ્યાન એક દિવસ એવો જોવા માંગુ છું કે જેમાં મને સમાચાર મળે કે કાશ્મીર, પેલેસ્ટાઇન, યમન, અફઘાનિસ્તાન અને તમામ એવા સ્થળો કે જયાં મુસીબત છે તેઓને મુકિત મળે. કેમ કે મારું હૃદય માનવતા ઝંખતા તરફડે છે અને નિર્દોષોના મૃત્યુ થતા જોઇને હું દ્રવી ઉઠું છું.'
શોએબનું માનવું છે કે ભારત અને પાકિસ્તાન જેવી નફરત વિશ્વના કોઈપણ ખુણામાં નથી. તાજેતરમાં જ સલમાન જેલ ગયો તેના સપોર્ટ કરીને ટ્વિટ કર્યું હતું. જે બાદ પાકિસ્તાનમાં કાશ્મીર મુદ્દે નહીં બોલવા પર તેને ટ્રોલ કરવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી બાદ શોએબ અખ્તરે પણ કાશ્મીરને લઈ નિવેદન આપ્યું છે. અખ્તરે સલમાન ખાનને જામીન મળવાના મુદ્દે કાશ્મીર રાગ આલાપ્યો હતો અને કહ્યું કે બંને દેશોની સરકારોએ આ મુદ્દે વાત કરવી જોઈએ. અખ્તરે ટ્વિટ કરીને લખ્યું કે આખરે ક્યાં સુધી આપણે આવા માહોલમાં જીવીશું ? શું આપણે આપણા બાળકોને આવા માહોલમાં રાખવા ઈચ્છીએ છીએ ?
શોએબનું માનવું છે કે ભારત અને પાકિસ્તાન જેવી નફરત વિશ્વના કોઈપણ ખુણામાં નથી.
પાકિસ્તાન સુપર લીગમાં રમવાનું જ મને સૌથી વધુ ગૌરવ છે. તેણે પણ કાશ્મીરનો ઉલ્લેખ કરતાં ટિવટ કરી હતી કે, કાશ્મીરમાં નિર્દોષો પર સિતમ ગુજારાય છે અને તેઓનું તેમની આઝાદી અંગેનો અવાજ દબાવી દમન થાય છે. યુ.એન. શું કરે છે ? જેનો જડબાતોડ જવાબ ભારતીય ક્રિકેટર ગંભીરે અને ત્યારબાદ અન્ય ક્રિકેટરોએ આપ્યો હતો.
અગાઉ આફ્રિદીએ વિવાદ જગાવતાં ટ્વિટ કર્યું હતું કે, આઇપીએલની આઠેય ટીમ મને રમવા માટે આમંત્રણ મોકલે તો પણ હું તેમાં ભાગ લેવાનો ઇન્કાર કરું. પાકિસ્તાનને હું અદમ્ય ચાહું છું તેણે આઇપીએલની સફળતાને પડકારતા એમ પણ કહ્યું હતું કે નજીકના ભવિષ્યમાં પાકિસ્તાન સુપર લીગ